વિદુર નીતિ અનુસાર એવા ૪ કારણો છે, જેના લીધે ઉડી શકે છે કોઈ વ્યક્તિની રાતોની ઊંઘ.. જાણો એ કારણો..

જાણવા જેવું

મહાભારત એક એવો ગ્રંથ છે. જેમાં ભાઈ ભાઈની લડાઈ થઇ હતી. મહાભારત માં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે. મહાભારત ના પર્વમાં મહત્મા વિદુરે અમુક એવી જ્ઞાનની વાત કરી હતી. જે આજે પણ ઘણું મહત્વ રાખે છે.

મહાભારત માં મહત્વની ભૂમિકા ભજવનાર વિદુરે એમના બધા અનુભવો પરથી જે નીતિનું નિર્માણ કર્યું તેને વિદુર નીતિ કહેવામાં આવે છે. આ વાતોમાં જ્ઞાનની સાથે જ ધર્મની અનુસાર ઘણી બધી વાતોની વિશે કહેવામાં આવ્યું હતું.

મહાભારત માં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહેતા આવી રહ્યા છે. મહાત્મા વિદુરને યમરાજનું રૂપ માનવામાં આવતું હતું. મહાત્મા વિદુરે ધર્મની અનુસાર શું ખોટું અને શું સાચું છે એનું સમજાવ્યું છે.

વિદુરનીતિના ૫૭૯ શ્લોકોમાં કુલ મળીને અલગ અલગ થઈને કુલ ૧૦૦૦ (એક હજાર) નીતિ વચનો જણાવ્યા છે. મહાત્મા વિદુર એ પાપ અને ભૂલો વિશે પણ જણાવ્યું છે. મહાત્મા વિદુરે આ કારણોને જણાવ્યું છે કે જેના કારણે વ્યક્તિ ની રાતની ઊંઘ નથી આવતી. તો ચાલો એના વિશે અમે આજે તમને જણાવી દઈએ..

મહાત્મા વિદુરની અનુસાર જયારે કોઈની દુશ્મની આપણા થી વધારે બળવાન વ્યક્તિ થી થઇ જાય છે, તો એની રાતોની ઊંઘ પણ ઉડી જાય છે. એવામાં વ્યક્તિ દરેક સમયે એમના શત્રુથી બચવાનો ઉપાય વિચારતા હોય છે.

જે કારણથી એની સતની ઊંઘ ઉડી જાય છે. મહાત્મા વિદુરની અનુસાર જેના મનમાં કામ ભાવ જાગી જાય છે એની રાતની ઊંઘ ઉડી જાય છે તેમજ એવા વ્યક્તિ જ્યાં સુધી કામ ભાવનાથી તુપ્ત નથી થઇ જતો, ત્યાં સુધી સુઈ શકતો નથી.

કામ ભાવના ના કારણે કોઈ પણ વ્યક્તિના મન માં અશાંત ઉત્પન્ન થઇ જાય છે. જે વ્યક્તિ ની ધન- સંપતિ કોઈ છીનવી જાય છે તો એની ઊંઘ પણ ઉડી જાય છે એટલે કે એને શાંતિ થતી નથી. એવામાં વ્યક્તિ એમની સંપતિ મેળવવા માટે રાત દિવસ વિચારતા રહે છે.

આ કારણથી એની રાતની ઊંઘ ઉડી જાય છે. જે વ્યક્તિને ચોરની આદત પડી જાય છે એ રાતમાં એને ઊંઘ નથી આવતી. કારણકે રાતમાં જ ચોર ચોરી કરવાની યોજના બનાવે છે.