વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો આર્થિક આવક, પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય તેમજ સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. ઘણી વાર એવું પણ થાય છે કે તમે તમામ પૂજા-પાઠ કરો છો, પરંતુ સારં ફળ મળતું નથી, તેવામાં તમારે તમારા ઘરના વાસ્તુશસ્ત્ર પર ધ્યાન આપવું જોઇએ. વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને તેના કારણે બહારની નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશ મળતો નથી.
વાતાવરણ માં હંમેશા એક ઉર્જાનો પ્રવાહ હોય છે. જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર માં એવા જ કેટલાક ઉપાયો જાણવામાં આવેલ છે જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો. તેના માટે તમારે કઈ પણ ખરીદવાની કે ખર્ચ કરવાની જરૂરિયાત નથી પરંતુ ઘરના ઇન્ટીરીયર અને કેટલાક સામાન ને સાચી દિશા માં અને યોગ્ય જગ્યા એ રાખીને વાસ્તુ દોષ થી છુટકારો મેળવી શકાય છે.
મુખ્ય દ્વાર :- મકાનનો મુખ્ય દ્વાર દક્ષિણ મુખી ના હોવો જોઇએ. તેના માટે તમે ચુંબકિય કંપાસ લઇને જાઓ. જો તમારી પાસે અન્ય વિકલ્પ નથી, તો દ્વારની સામે મોટો અરિસો લગાવો, જેથી નકારાત્મક ઉર્જા દ્વારેથી પરત ફરી જાય.
વાસ્તુમુજબ બાથરૂમ :- આપણે આખા ઘરના ઇન્ટીરીયર ને વાસ્તુ અનુસાર સજાવવું તેની સાથે બાથરૂમ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાથરૂમમાં જો પાણી ભરેલી ડોલ રાખવામાં આવે તો ઘર માં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. ઘરમાં ખુશી આવે છે અને લક્ષ્મી નો હંમેશા વાસ રહે છે. ફેંગશુઈ અનુસાર બાથરૂમ માટે આછા વાદળી રંગની ડોલ ખુબજ શુભ માનવામાં આવે છે. આ ડોલ ને ભરીને રાખવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી.
દક્ષીણ પશ્ચિમમાં ફેમીલી ફોટો :- ઘરમાં દક્ષીણ પશ્ચિમ દિશા ના સબંધ પારિવારિક સબંધો સાથે જોડાયેલ માનવામાં આવે છે. આ દિશામાં આખા પરિવારનો ફોટો લગાવવા થી સબંધો માં મધુરતા આવે છે. કહેવાય છે કે આ દિશામાં સંયુક્ત પરિવાર નો ફોટો લગાવવાથી ક્યારેય પણ જુદા થવાની નોબત નથી આવતી.
પાણીથી ભરેલો ઝાર :- ઘરની ઉત્તર દિશામાં પાણીથી ભરેલો ઝાર રાખવાથી હંમેશા લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. જો તે શક્ય ન હોય તો ઉત્તર દિશાની દીવાલ પર ઝરણાની તસવીર લગાવવી.
બાથરૂમમાં વાદળી રંગની ડોલ :- ક્યારેય પણ બાથરૂમમાં એક થી વધારે અરીસા ન રાખવા જોઈએ. બાથરૂમ ને હંમેશા સાફ રાખવું જોઈએ. બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. અને બાથરૂમમાં રાખેલ ડોલ હંમેશા પાણી થી ભરેલી રાખવી શુભ માનવામાં આવે છે.