વાસ્તુશાસ્ત્ર મુજબ ભૂલથી પણ આ વસ્તુને જમીન પર ન મુકવી, નહિ તો ઘરમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ..

ધાર્મિક

ઘણી વખત આપણે જાણતા અજાણતા અમુક એવી વસ્તુને જમીન પણ નીચે મૂકી દઈએ છીએ. જે ક્યારેય ન કરવું જોઈએ. જો અમુક પવિત્ર વસ્તુઓ નીચે જમીન પર મૂકી હોય તો એના ઘણા નુકશાન થઇ શકે છે. જો તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી જીવનમાં સમસ્યાઓ આવવાનું નામ નહિ લે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી વસ્તુઓ છે જેના વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં નોકરી, ધંધો ઉપરાંત પૂજા પાઠની વસ્તુઓ વિશે પણ માહિતી આપવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા પાઠ સાથે જોડાયેલ અનેક નિયમ બતાવવામાં આવ્યા છે, જેનુ પાલન કરવુ શુભ માનવામાં આવે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ શાસ્ત્રોમાં પૂજા પાઠ સાથે જોડાયેલી અમુક એવી વસ્તુઓ બતાવી છે જેને સીધી જમીન પર ન મુકવી જોઈએ. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્રમાં પૂજાપાઠ સાથે જોડાયેલી એવી અનેક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જમીન પર મુકવી અપશકુન માનવામાં આવે છે

શાલીગ્રામ અથવા શિવલિંગ :- શાસ્ત્રોમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુ અને શિવલિંગનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે આ વસ્તુને ક્યારેય પણ જમીન પર મુકવાની ભૂલ ન કરવી જોઈએ. મંદિરની સફાઇ દરમિયાન લોકોથી આ ભૂલ થઇ શકે છે. આવામાં સાફ સફાઈ કરતી વખતે શાલિગ્રામને કોઈ કપડામાં મુકીને કોઈ સ્વચ્છ સ્થાન પર મુકવુ જોઈએ.

જનોઈ :- જનોઈ ખુબ જ પવિત્ર ધાગો માનવામાં આવે છે. જનોઈને સ્વચ્છ કપડા પર મુકવી જોઈએ, કારણ કે જનોઈ દેવતાઓને મુખ્ય રીતે અર્પિત કરવામાં આવે છે. એટલા માટે જનોઈ ને ક્યારેય પણ જમીન પર ના મુકવી જોઈએ.

ધૂપ, દીપ, શંખ અને પુષ્પ :- ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે કે શંખ, દીપ, ધૂપ, યંત્ર, પુષ્પ, તુલસી, કપૂર, ચંદન, જપમાળા વગેરે વસ્તુઓ જમીન પર ન મુકવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ બધી વસ્તુઓનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે, તેથી તે ક્યારેય સીધી જમીન પર ન મૂકવી જોઈએ

રત્ન :- શાસ્ત્રો અનુસાર મોતી, હીરા અને સોના જેવા કિંમતી રત્નો ભૂલથી પણ સીધા જ જમીન પર ન મૂકવા જોઈએ. કારણ કે આ ધાતુનો સંબંધ અન્ય કોઈ ગ્રહ સાથે હોય છે. આવી સ્થિતિમાં તેમને સીધા જ જમીન પર મુકવાથી અપશુકન થઇ શકે છે. જો તમારી સાથે કોઈ રત્ન જોડાયેલું છે, તો તે સીધા જ જમીન પર ન મૂકવા જોઈએ.

સીપ :- એવુ કહેવામાં આવે છે કે સીપની ઉત્પત્તિ સમુદ્ર દ્વારા થવાને કારણે તેનો સંબંધ લક્ષ્‍મીજી સાથે માનવામાં આવે છે. એટલા માટે તેને સીધા જમીન પર ન મુકવી જોઈએ. મા લક્ષ્‍મીની ઉપાસનામાં છીપ અને કોડીનુ ખુબ જ મહત્વ છે. એટલા માટે તેમને જમીન પર ન મુકવા જોઈએ.