આપણા હિંદુ ધર્મમાં ઘણા એવા રીતિરિવાજ માનવામાં આવે છે જેનો ઉલ્લેખ હિંદુ ધર્મમાં કરવામાં આવેલો છે. એમાં એક રીવાજ છે લગ્ન. લગ્ન એ એક પ્રેમનું બંધન છે. લગ્નને હિન્દુ ધર્મમાં બે આત્માઓનું મિલન માનવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નજીવનની પરંપરાને ખૂબ માનથી કરવામાં આવે છે, પરંતુ લગ્ન પછીની જે પહેલી રાત એટલે કે સુહાગરાતના પણ ઘણા રિવાજો છે જે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારોનો ઉલ્લેખ કરવામા આવેલો છે અને એમાં લગ્ન પણ એક રીવાજ છે.
એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ માં માત્ર બે જ લોકો નહીં, પરંતુ ઘણા પરિવારો અને આત્માઓનું પણ મિલન થાય છે. આ ધાર્મિક વિધિમાં અસાધ્ય રોગ અને રિવાજો સહિતના ઘણા રિવાજો પણ માનવામાં આવે છે. સુહાગરાત ને વરરાજાની રાત પણ કહેવામાં આવે છે,
એટલા માટે જ આ દિવસે ઘણી ધાર્મિક વિધિઓ ખૂબ જ વિશેષ હોય છે જેમ કે દૂધના ગ્લાસ સાથે કન્યાનો પ્રવેશ સાથે છોકરીનો ચેહરો જોવો વગેરે રિવાજો. એવુ કહેવામાં આવે છે કે વરરાજા એ પોતાના લગ્નની આગલી રાત્રે દુલ્હન નવવધૂઓ સાથે તેમની કુળ દેવી અને દેવતાની પૂજા કરવી જોઇએ.
એવું માનવામાં આવે છે કે કુટુંબની પરંપરા અને વંશને આગળ વધારવા ભગવાનની કૃપા મેળવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે માત્ર કુળદેવતાના આશીર્વાદથી જ વંશમાં વધારો થાય છે. ઘણી ધાર્મિક વિધિઓ છે જેમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે.
લગ્નથી લઈને સુહાગરાતમાં શારી-રિક સબંધ બનાવવા સુધી આની પાછળ એક એવી માન્યતા છે કે પૂર્વજોના આશીર્વાદથી બાળકોને સુખ પ્રાપ્ત થાય છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો પૂર્વજો ગુસ્સે થાય તો સંતાન પ્રાપ્તિમા પણ અવરોધ આવી શકે છે.
લગ્નનો સૌથી મોટો ઉદ્દેશ સંતાન પ્રાપ્તિ અને વંશને આગાળ વધારવાનો હોય છે એટલા માટે સુહાગરાત પર પૂર્વજોની પુજા કરવામા આવે છે. સુહાગ રાતની રાત્રે દુલ્હન તેના પતિ માટે દૂધનો ગ્લાસ લઈને લાવે છે. તેની પાછળ પણ જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે
જેમ કે દૂધને ચંદ્ર અને શુક્રનું પદાર્થ માનવામાં આવે છે. શુક્ર એ પ્રેમ અને વાસનાનો કારક ગ્રહ છે અને ચંદ્ર મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે એક ગ્લાસ દૂધ આપવાની પાછળ પણ એક ઉદ્દેશ્ય એ છે કે પતિ-પત્નીનો પ્રેમ દૂધ જેવો ઉજ્જ્વળ અને સ્થિર વાસના જેવો હોય.
સુહાગરાત પર એક એવો રિવાજ પણ હોય છે કે દુલ્હનનો ચહેરો જોવા પાછળ એક એવી દંતકથા છે કે ભગવાન રામે દેવી સીતાને વચન આપ્યું હતું કે તે પતિવ્રતા બની રહેશે અને આ વચનને કારણે ભગવાન રામે બીજા લગ્ન કર્યા ન હતા. આજકાલ કન્યાને આ રિવાજ હેઠળ ઘરેણાં, મોબાઈલ જેવી ગીફ્ટ આપવાનું શરૂ થઈ ગયું છે.
પરંતુ હકીકતમાં આ રિવાજ પાછળ એક એવી માન્યતા છે કે જે સ્ત્રી એને પતિ તરીકે સ્વીકારી રહી છે તે તેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે તેમજ વ્યવહારિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ભેટો આપવા પાછળનો હેતુ એ છે કે નવા સંબંધની શરૂઆત સારી થાય છે.
એવુ કહેવામાં આવે છે કે કોઇપણ કાર્ય કરતા પહેલા મોટા વડિલોના આશીર્વાદ લેવા ખુબજ શુભ માનવામાં આવે છે, એટલા માટે જ સુહાગરાતમાં વડીલોના આશીર્વાદ લેવા એ પણ સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. આ વિધિ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આ બંનેના લગ્ન જીવનની શરૂઆતની શુભેચ્છાઓ મળે. હિન્દુ ધર્મના સંસ્કારમાં કોઈ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા વડીલોના આશીર્વાદ મળે તે શુભ હોવાનું કહેવામાં આવે છે.