શનિવારનો દિવસ શનિદેવ નો દિવસ ગણાય છે. ઘણા લોકો શનિની ખરાબ સ્થિતિ માંથી મુક્તિ મેળવવા ઘણા પ્રયત્ન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવનાર વર્ષમાં ગ્રહોની સ્થિતિમાં ઘણા બદલાવો થશે. આ જ વર્ષમાં શનિની સ્થિતિ પણ બદલાશે. શનિ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે, જેથી કેટલીક રાશિઓને ફાયદો થશે તો કેટલીક રાશિઓની પરેશાનીઓ વધી જશે.
જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ જણાવવામાં આવી છે અને આ રાશિઓના સ્વામી ગ્રહ જુદાં-જુદાં છે. ધન અને મકર રાશિમાં પહેલાથી જ શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો હતો, હવે કુંભ રાશિ માટે પણ સાડાસાતીનું પહેલું ચારણ શરુ થઇ જશે. તો જોઈએ કે કઈ રાશિ પર શનિદેવનો પ્રભાવ સારો રહેશે અને કઈ રાશિઓ પર શનિદેવનો પ્રકોપ થશે.
વૃષભ રાશિ :- વૃષભ રાશિના જાતકો શનિની અઢી વર્ષની પનોતીના પ્રભાવથી મુક્ત થશે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રને અસુરોનો ગુરૂ માનવામાં આવે છે. શનિનો મકર રાશિમાં પ્રવેશ તમારા માટે પણ રાહત લાવશે. જીવનમાં ચાલી રહેલી ઉત્તર-ચઢાવવાળી પરિસ્થિતિ ઓછી થશે. જીવનની ગાડી શાંતિથી પાટા ઉપર દોડશે. મકર રાશિમાં શનિના જવાની સાથે જ પનોતીની અસર ખતમ થઇ જશે.
ધનુ રાશિ :- શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે, એટલે જયારે શનિ ધન રાશિને છોડીને મકરમાં પ્રવેશ કરશે ત્યારે ધન રાશિવાળા જાતકોની બીજા ચરણની સાડાસાતી ખતમ થઇ જશે અને ત્રીજા ચરણની સાડાસાતી શરુ થશે, જેથી ધન રાશિવાળા લોકોના જીવનની તકલીફો પહેલા કરતા ઓછી થવા લાગશે. થોડી માસિક અને શારીરિક સમસ્યાઓ રહેશે પણ એ પાછલા વર્ષો કરતા વધુ અનુકૂળ રહેશે.
કન્યા રાશિ :- છેલ્લા અઢી વર્ષ આ રાશિના જાતકો શનિની પનોતીની અસરમાં ચાલી રહયા હતા, શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકો પણ પનોતીથી મુક્ત થઇ જશે. મહેનતનું ફળ હવે જલ્દી મળશે. આર્થિક લાભના અવસર મળશે. ધારેલી જીવનમાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડશે. પનોતી ખતમ થઇ જવાથી તમામ પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળી જશે.
વૃશ્ચિક રાશિ :- વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. શનિના ધન રાશિથી મકર રાશિમાં જવાથી વૃશ્ચિક રાશિના લોકોને શનિના ચંગૂલથી મુક્તિ મળશે. છેલ્લા અઢી વર્ષમાં જે મહેનત કરી છે તેના શુભ પરિણામો મળવાનું શરૂ થશે. આ વર્ષ તમારા માટે આનંદદાયક અને પ્રગતિદાયક રહેશે. માનસિક તાણ અને મૂંઝવણ ઓછી થશે. તેમને ઘણા આનંદદાયક સમાચાર મળશે.