શેકેલુ લસણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. લસણનો ઉપયોગ માત્ર ખોરાકનો સ્વાદ વધારતો જ નથી, પરંતુ શરીરને ઘણા પોષક તત્વો પણ આપે છે. શેકેલુ લસણ ખાવાથી શરીરમાં શક્તિ રહે છે તેમજ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. લસણને કાચું, શેકીને અને તળીને ખાવામાં આવે છે. પણ તેને શેકીને ખાવાના ફાયદા તમને નવાઈ પમાડી દેશે.
આપણે ફક્ત તેનો ઉપયોગ ખાવાને સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક છે. લસણની એક કળી નું સેવન જે વ્યક્તિ કરે છે તે અમૃત સમાન સાબિત થાય છે. ખાસ કરીને જો લસણને થોડું શેકી લેવામાં આવે તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે.
આજે અમે તમને જણાવી દઈએ કે લસણની અંદર કેટલા ઔષધિ ગુણો રહેલા છે અને તેનાથી શરીમાં કેટલા ફાયદા થાય છે. આજે વાત કરીશું કે લસણનો ઉયપયોગ કેવી રીતે કરવો જેનાથી શરીરમાં અનોખા અને વિશેષ ફાયદા થાય છે. લસણનો આ ઉપયોગ કરવાથી તમને થોડાજ દિવસોમાં તેના ફાયદાઓ દેખાવા લાગશે.
લસણના ફાયદાઓ અને ક્યારે કરવું એનું સેવન :- લસણની 4 થી 5 કળીઓ પેલા લેવી તેને સરીરીતે ધોઈ અને પછી તેને સારા તેલમાં થોડી તળવાની રહેશે અને આ કાર્ય રાત્રે સૂતા પહેલા કરવું અને તે તળેલી કળીઓ સૂતા પહેલા ખૂબ ચાવીને ખાઈ જવાની રહેશે આમ કરવાથી શરીરમાં ઘણા લાભ થશે પહેલા તો શરીરમાં રહેલું જહેરી તત્વ મૂત્રમાર્ગ અથવા મળમાર્ગથી બહાર આવી જશે. આ જેરી તત્વ દૂર કરવા માટે લસણ એક સારો ઉપાય છે તેવું આયુર્વેદમાં કહેવામા આવ્યું છે.
વધારાની ચરબી થાય છે દુર :- લસણની કળીના સેવનથી શરીરમાં રહેલી વધારાની ચરબી પણ દૂર થાય છે. રોજે શરીરની કસરતની સાથે સાથે આ ઉપાય પણ કરવો જોઈએ તેનાથી શરીમાં રહેલી ચરબી ઓગળે છે અને શરીરને ફિટ અને તંદુરસ્ત રાખે છે લસણનો ઉપયોગ રોજે રાત્રે સૂતા સમયે કરવો જરૂરી છે એટ્લે રાત્રે સૂતા સમયે લસણ તેનું કાર્ય જલ્દીથી કરે છે.
કેન્સર જેવી બીમારી સામે રક્ષણ :- વૈજ્ઞાનિકો દ્વારા જાણવામાં આવ્યું છે કે, લસણના ઉપયોગથી કેન્સર જેવી બીમારીમાં પણ કામ કરે છે. રોજે લસણના સેવનથી શરીરમાં ઉત્પન્ન થતાં કેન્સરના કીટાણુનો નાશ કરે છે અને કેન્સર જેવા રોગથી પણ બચાવે છે રોજે લસણનું સેવન ફાયદાકારક માનવમાં આવ્યું છે જેનાથી કેન્સર જેવા રોગથી પણ બચી શકાય છે
હદયને લગતી બીમારીના દર્દીઓ માટે ફાયદાકારક :- હ્રદયની બીમારીને રોકવા માટે લસણનું સેવન ખાસ જરૂરી ગણવામાં આવ્યું છે. લસણ હ્રદય સબંધિત બીમારીઓનો પણ જડથી ઈલાજ કરે છે. હ્રદયની બીમારી માણસ માટે એક જોખમી બીમારી છે અને તેનો ઈલાજ કરવો અત્યંત જરૂરી છે અને આ બીમારી મોટા ભાગે જાજી ઉમરના વ્યક્તિઓમાં હોય છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે લગભગ 100 માથી 98 જેટલા મોટી ઉમરના વ્યક્તિઓને હ્રદયની બીમારી હોય છે અને તે બીમારી તેવું નથી મોટી ઉમરના વ્યક્તિઓને હોય નાની ઉમરના વ્યક્તિઓમાં પણ જોવા મળે છે તેનું કારણ ટ્રેસ અને વધુ વજન હોય છે તેને કંટ્રોલમાં રાખવા રોજે લાસનું સેવન કરવું ખુબજ જરૂરી ગણવામાં આવ્યું છે.
પેટમાં ગેસની સમસ્યા માટે ફાયદાકારક :- પેટમાં થતો ગેસ જેનાથી માણસને વધારે તકલીફ હોય છે અને ગેસ થાય ત્યારે આપણે તેની ટેબલેટ અથવા કોઈ સોડા પિતા હોઈએ છીએ પણ આ ગેસને કંટ્રોલમાં રાખવા માટે લસણના નિયમિત સેવનથી પેટમાં ભેગું થતું કેમિકલને અટકાવી શકે છે જેનાથી ગેસની સમસ્યા ઓછી થાય છે. અને એસિડિટીમાં પણ રાહત મળે છે.