ઉંમરના વધવા સાથે આપણા શરીરની વૃદ્ધિ થાય છે અને સાથે શરીરના કેટલાક આંતરિક અવયવો પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ઘણી વાર તંદુરસ્તી અને આહારને લઈને આપણા મનમાં ઘણી મૂંઝવણો જાગતી હોય છે. શરીરમાં મજબૂત માંસપેશિયો હોય તો શરીરમાં તાકાત બની રહે છે..
હંમેશા પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃતિઓને મહત્ત્વ આપવું જોઈએ. રુધિરનું ધમનીઓના ધબકારા મારફતે વહન થતું હોય છે. આજે અમે તમને શરીરની રક્તવાહિનીઓ માટે અને લોહી સાફ કરવા માટે ઉપાય જણાવીશું, જેનાથી શરીરમાં રહેલી સમસ્યા દુર થઇ જશે. તો ચાલો જાણી લઈએ એ ધાણાજીરુંના પ્રયોગ વિશે..
ધાણા જીરુંનો પ્રયોગ માટે :- ૧૦૦ ગ્રામ ધાણા અને ૧૦૦ ગ્રામ જીરું તવા પર શેકી લેવું અને પછી એને ખાંડી લેવું અથવા મિક્સર માં થોડું પીસી લઈને પાવડર કરવો. એક મહિના માં આ ચૂર્ણ પૂરું કરી દેવું. દરરોજ આ ચૂર્ણનું સેવન કરવાથી ઘણા ફાયદા જોવા મળશે
આ ચૂર્ણથી શરીર ની તમામ ૭૨ હાજર રક્તવાહિનીઓ ખુલી જાય છે. પથરીની સમસ્યા હશે તો તે પણ ઓગળી જાય છે. મુત્રત્યાગ માં તકલીફ થતી હોય તો તેમાં પર ફાયદો થાય છે. વજન ઘટે છે અને પેટ સાફ થાય છે.
આ ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી શરીર હલકું બની જશે. રક્તમાંના બિન જરૂરી કણો ઓગળી જાય છે અને લોહી સાફ કરે છે. રક્ત પરિભ્રમણ ની પ્રક્રિયા વ્યવસ્થિત થાય છે. હૃદયની સામાન્ય માહિતી વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બને છે. આ સમસ્યામાં પણ ઘણી મદદ મળે છે.
શરીરના દરેક ભાગમાં લોહીનું સર્ક્યુલેશન સતત બરાબર પ્રમાણમાં ચાલ્યા કરવું જોઈએ. લોહીની આ સમસ્યામાં તમારી જીવનશૈલી એક મોટો ભાગ ભજવે છે. જો સરખું રક્તપાત થતું ન હોય તો આ ચૂર્ણનું સેવન કરવાથી ઘણો લાભ મળશે. આ ચૂર્ણ તમને તમારી શરીરની રક્તનળીકાઓ ખોલવામાં મદદ કરશે અને તેને હંમેશા સર્ક્યુલેટ થતા રહેવામાં મદદ કરશે.
હૃદયરોગ હવે ઓછી ઉંમરના લોકો પર પણ ત્રાટકી રહ્યો છે. આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ માટે ખુબ જ લાભદાયી છે. આ ચૂર્ણથી હૃદયને લગતા રોગો તેમજ લકવા જેવી બીમારી સામે રાહત મળશે. તો હૃદયને સ્વસ્થ રાખવા આ ઉપાય અજમાવી શકાય છે અને સ્વસ્થ વૃદ્ધત્વને એન્જોય કરી શકાશે.
ઝડપી વિકાસ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વધારે ઉપયોગ, આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઊંચું પ્રમાણ, શુગર, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી જેવાં વિવિધ કારણોસર લોકોમાં હૃદયરોગના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં ૧૦ કરોડથી પણ વધારે ભારતીયો હૃદયની ધમનીના રોગથી પીડાય છે.
એક અંદાજ અનુસાર વર્ષ ૨૦૨૦ સુધીમાં વિશ્વના દરેક હૃદયરોગીઓમાં મોટાભાગના ભારતના લોકો હશે, તથા ભારતમાં મૃત્યુનું મુખ્ય કારણ પણ હૃદયરોગનો હુમલો જ હોય છે. શિરાઓ દ્વારા લોહી પાછું હૃદય સુધી પહોંચે છે. નાની શિરાઓ ભેગી થઈને મોટી શિરાઓ બનાવે છે, અને તે ફરી ભેગી થાય છે અને સૌથી મોટી બે શિરાઓ બનાવે છે.
આ સૌથી મોટી બે શિરાઓ વડે લોહી પાછું હૃદયના જમણા કર્ણકમાં વહી જાય છે. આ લોહીમાં ઍાક્સિજન ઓછું થાય છે. એને ઑક્સિજનયુક્ત કરવા માટે તેને લોહી જમણા કર્ણકથી જમણા ક્ષેપકમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી તે ફેફસાની ધમની દ્વારા ફેફસામાં ઑક્સિજનયુક્ત બને છે. બંને કર્ણકો વચ્ચે અને બંને ક્ષેપકો વચ્ચે રહેલી દીવાલ ઍાક્સિજન વગરના અને ઍાક્સિજનયુક્ત લોહીને અલગ રાખે છે.