ઘણા લોકો સ્ફરજનને છાલ વગર ખાય છે. નિષ્ણાતોના મતે સફરજનને છોલીને ન ખાઓ. સફરજનની છાલમાં એવા ઘણા પોષક તત્વો છે જે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. સફરજનને છાલ સાથે ખાવાથી વધુ ફાયદો થશે.
સફરજનમાં પ્રોટીન, ચરબી, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, ખાંડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, વિટામિન સી, વિટામિન બી6, વિટામિન એ અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ બધી વસ્તુઓનો ફાયદો તમને ત્યારે જ મળશે જ્યારે તમે તેને છાલ સાથે ખાશો.
દૂધ સાથે ખાવાથી થાય છે ફાયદો: દૂધ સાથે સફરજનનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. નાસ્તામાં દૂધ સાથે સફરજન ખાઓ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
સફરજન ખાવાનો યોગ્ય સમય: જો તમે સફરજનના પોષક તત્વોનો લાભ લેવા માંગતા હોવ તો ખાલી પેટ સફરજન ખાઓ. રાત્રે સફરજન ન ખાવું. સફરજનની અંદર કેફીન જોવા મળે છે. તેનાથી ઊંઘ પર નકારાત્મક અસર પડે છે. દિવસમાં એક સફરજન અથવા અડધું સફરજન ખાઓ. તેનાથી વધુ નહીં. સફરજનના વધુ પડતા સેવનથી ગળા, જીભ, હોઠ અને ચહેરા પર સોજો આવી શકે છે.
ધોયા વિના ખાશો નહીં: સફરજનને ધોયા વગર ન ખાઓ. ક્યારેક બ્લીચનો ઉપયોગ સફરજનને ચમકવા માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે સફરજનને ધોયા વગર ખાઓ છો, તો તેનાથી નુકસાન થઈ શકે છે. એક રીત એ છે કે સફરજનને 30 મિનિટ માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો. તેનાથી તેની અશુદ્ધિઓ દૂર થશે.