દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે, જેમ કે કોઈ વ્યક્તિને સાદું જીવન પસંદ હોય છે તો કોઈ સામાન્ય જીવન જીવવું પસંદ હોય છે તો કોઈ વ્યક્તિ રાજા-મહારાજાઓની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ અને તેની રહેણી કરણી તેના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ મુજબ જ નક્કી થઇ જાય છે.
વ્યક્તિના સ્વભાવ, વિચારો, ભવિષ્યમાં વ્યક્તિ કેવો બનશે, તેના આચાર-વિચાર, તેનું ચરિત્ર આ બધુ જ નક્કી થતું જાય છે. ત્યાર બાદ વ્યક્તિના કર્મો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. પોતાની જીવનશૈલીમાં તેઓ કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા ઈચ્છતા નથી. પોતાની મરજી મુજબ જ તેઓ જીવન જીવવાનું પસંદ કરે છે.
કર્ક રાશિ : આ રાશિના જાતકો ખુબજ મનમોજીલા હોય છે. સમય આવે ત્યારે તેઓ મુશ્કેલીઓથી ભાગતા નથી અને તેમનો સામનો કરે છે. એક રાજાની જેમ તેઓને હમેશા મોજ શોખથી જીવવું પસંદ હોય છે અને દરેક પ્રકારની સુખ સુવિધા પણ ભોગવે છે. આ રાશી ના લોકો ખુબ જ સાહસી હોય છે. તેઓ કોઈ પણ પ્રકારની સ્થિતિમાં પોતાની મરજી મુજબ જ જીવન પસાર કરવા ઇચ્છતા હોય છે. જીવન માં તે ખુબ જ પ્રગતિ કરવા ઈચ્છતા હોય છે. ખુબ જ તરક્કી કરે છે.
સિંહ રાશિ : આ રાશિના જાતકોને કોઈ વ્યક્તિનું પોતાના જીવનમાં દખલ કરવું પસંદ નથી હોતું, તેઓ પોતાની મરજી મુજબ જ જીવન જીવવા ઇચ્છતા હોય છે. તેઓ મહારાજા ની જેમ જ હમેશા ઊંચા હોદ્દા કે પદ પર રહેવાનુ પસંદ કરે છે. તેઓમાં રાશિના નામ મુજબના જ ગુણ જોવા મળે છે.
તેઓ સિંહની જેમ જ બહાદુર પણ હોય છે, તેઓ પોતાના લીધેલા નિર્ણયોને સાચા સાબિત કરીને જ રહે છે. જંગલના રાજા સિંહની જેમ જ દુશ્મનો તેમનાથી દૂર રહે છે કેમ કે આ રાશિના જાતકો બહાદુર હોય છે અને કોઈ ડર તેમણે ડરાવી શકતો નથી. આ રાશી ના લોકો ખુબ જ સાહસી હોય છે.
કુંભ રાશિ : આ રાશિના જાતકો બહાદુર હોય છે અને કોઈ ડર તેમણે ડરાવી શકતો નથી. આ રાશિના જાતકો સરળ સ્વભાવના હોય છે અને પોતાના નિયમ મુજબ જીવવાનું પસંદ કરે છે. મહારાજાઓની માફક જીવવાના તમામ નિર્ણયો તેઓ પોતાની રીતે જ લેવાનું પસંદ કરે છે. તેઓ મહારાજા જેવું ઠાઠમાઠથી જીવે છે.
આ રાશિના જાતકો ખૂબ જ વફાદાર હોય છે. તેમણે કોઈ વ્યક્તિ સાથે ખોટું કરવું પસંદ હોતું નથી. અને તેઓના આ સ્વભાવને કારણે તેઓ પ્રિયપાત્ર પણ બને છે અને સમાજમાં નામના મેળવે છે. કુંભ રાશિના ના લોકો એટીકેટી થી જીવન જીવવા નું પસંદ કરે છે.અને તેમને સારા સારા કપડા પેરવાનું ખુબ જ પસંદ હોય છે.