એક સમયે સંતો અને કે.લાલ જાદુગર ભેગા થયા હતા. ત્યારે વાત વાતમાં કે.લાલ જાદુગરએ જણાવ્યું હતું કે તેમને એક ગુટકા બનાવતી કંપનીએ એડ બનાવવા માટે પ્રસ્તાવ મુક્યો હતો અને તે કંપની મને 11 સેકન્ડની એડ માટે 25 લાખ રૂપિયા આપવા તૈયાર હતી. તો કે.લાલ જાદુગર એ આ એડ કરવાની સ્પષ્ટ ના પડી દીધી.
જયારે આની જાણ કંપનીના એક મોટા અધિકારીને થઇ તો તેમને ફરીવાર કે.લાલ જાદુગરને કહ્યું કે અમે તમને આ એડ કરવાના 50 લાખ રૂપિયા સુધી પણ આપીશું. તો પણ કે.લાલ જાદુગરે આ એડ કરવાની ચોખી ના પડી દીધી.
તો કંપનીના લોકોએ કે.લાલ જાદુગરને કહ્યું કે તમે શા માટે આ એડ કરવાની ના પાડો છો જો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે મળીને તેનું સોલ્યુશન લાવીએ. તો કે.લાલ જાદુગરે કહ્યું કે આનો કોઈ રસ્તો નહિ આવે એમ નથી. કંપનીના લોકોએ પૂછ્યું કે એવું તો શું કારણ છે.
કે.લાલે કહ્યું કે હું એકવાર શો કરવા માટે આણંદ ગયો હતો. ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ પણ ત્યાં જ છે. તો હું ત્યારે તેમને મળવા ગયો હતો. ત્યારે મેં તેમને મારો શૉ જોવા આવવા માટે ખુબજ વિનતી કરી હતી.
કારણ કે મારુ સપનું હતું કે પ્રમુખસ્વામી એકવાર મારો શો જોવા માટે પધારે અને હું આ મોકો કોઈ પણભોગે હાથથી જવા દેવા નહતો માંગતો. મારી વિનતી પર તે મારો શો જોવા આવવા માટે સમત થઇ ગયા અને એટલું જ નહિ તેમને મારો શો સારો લાગ્યો. ત્યારે તેમને મને જતા જતા કહ્યું કે મારો શો જોવા માટે હજારો લોકો આવે છે.
તો તમે તમારા શો માં લોકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરો તો સારું રહેશે. તો કે.લાલ જાદુગરે કહ્યું કે આ મારૂ માટે સદભાગ્ય કહેવાય. અને જો હું તમારી આ એડ કરું તો મેં પ્રમુખસ્વામી મહારાજને આપેલા વચન માં ખોટો પડીશ માટે હું આ એડ નહિ કરી શકું.