આપણા દરેક લોકોના ઘરમાં પિતૃના સ્વર્ગવાસ પછી પિતૃની તસ્વીર હાર પહેરાવીને લગાવેલી હોય છે. પિતૃપક્ષ દરમિયાન લોકો રીત રીવાજ સાથે પોતાના પિતૃની આરાધના પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે પિતૃઓની તસવીરો ઘરમાં રાખવા થી ઘરમાં તેમની કૃપા દ્રષ્ટિ બની રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબની દિશામાં પિતૃઓની તસવીરો નહીં લગાવો તો તમને ઘણું નુકશાન થઈ શકે છે.
પિતૃની તસ્વીર આગળ અગરબત્તી પણ રોજ કરતા હોઈએ છીએ, આ એક પ્રથા છે સાથે પિતૃઓની યાદગીરી પણ છે, પરંતુ પિતૃઓની તસવીર ખોટી દિશામાં જો રાખવામાં આવે તો ઘરમાં પડતી પણ આવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓની તસવીર કઈ દિશામાં લગાવી શકાય અને કઈ દિશામાં ના લગાવી શકાય તેના માટેના કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કઈ દિશામાં અને કઈ જગ્યા ઉપર તસવીર લગાવી શકાય અને ક્યાં ના લગાવી શકાય તેના વિશે.
આ જગ્યા પર ના રાખવા પિતૃઓનો ફોટો: પૂજા ઘરમાં અથવા તો દૈવી દેવતાઓની આસપાસ ક્યારેય પિતૃઓની તસવીર ના લગાવવી જોઈએ કારણ કે દેવોનું સ્થાન ઉચ્ચ છે આમ કરવાથી દેવદોષ લાગી શકે છે અને તે અશુભ ફળોનું કારણ પણ બને છે. પિતૃઓના ફોટા ઘરની માધ્યમ ક્યારેય ના લગાવવા જોઈએ તેનાથી મન સનમનને હાનિ થાય છે, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પણ લગાવવાથી સંપત્તિની હાનિ થાય છે.
પિતૃની તસ્વીરો ઘરમાં બધી જગ્યાએ ન લગાવવી જોઈએ, એમ કરવાથી માણસમાં તનાવની સ્થતિ ઉભી થઇ રહે છે. તે ઉપરાંત પિતૃની તસ્વીરો લટકતી કે ટીંગાતી રાખવી પણ સારું નથી માનવામાં આવતું. પૂર્વજોની તસ્વીરોને ઘરના બેડરૂમ કે રસોડામાં પણ ન લગાવવી જોઈએ. તેનાથી પૂર્વજોનું અપમાન થાય છે અને ઘરમાં હંમેશા અશાંતિ છવાયેલી રહે છે.
પિતૃઓની તસવીર લગાવવાની યોગ્ય દિશા :- કેટલાક વાસ્તુ શાસ્ત્રીઓ અનુસાર જો ઘરની અંદર પૂજા પાઠ કરવા માટેની જગ્યા ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ)માં છે તો પિતૃઓની તસવીરને પૂર્વમાં લગાવવી જોઈએ, જો પૂજા સ્થળ પૂર્વ દિશામાં હોય તો તસવીરને ઈશાન ખૂનમાં પણ લગાવી શકાય છે ઓ પૂજા ઘરની જગ્યાએ તમે કોઈ બીજા ઓરડામાં તસવીર લગાવવા માંગતા હોય તો ઉત્તર દિશાની દીવાલ ઉપર લગાવી શકો છો. જેનાથી પૂર્વજોનું મુખ દક્ષિણ તરફ રહી શકે.
આમ તો પૂર્વજોની તસવીરને તમે ઘરની દક્ષિણ દિશાની દિવાલ ઉપર લગાવવી જોઈએ, તમે એને ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો માની શકો છો. જો તમને દક્ષિણ ખૂણો નથી મળી રહ્યો તો તમે પશ્ચિમ ખૂણામાં પણ લગાવી શકો છો. મતલબ કે તેમનું મુખ પૂર્વ અથવા ઉત્તરમાં હોવું જોઈએ.