પેશાબને વધારે સમય સુધી રોકી રાખવાથી શરીરને થાય છે ભારે નુકશાન, જો તમે પણ આવું કરતા હોવ તો સાવધાન…

સ્વાસ્થ્ય

ઘણા લોકો કોઈ કામમાં વ્યસ્ત રહેવાને કારણે એમના પેશાબને ઘણા સમય સુધી રોકી રાખે છે. પેશાબ કરવા જવું દરેક વ્યક્તિની દૈનિક ક્રિયા ગણાય છે, પરંતુ જો પેશાબને વધારે સમય સુધી રોકી રાખવામાં આવે, તો એનાથી શરીરને ખુબ જ નુકશાન થાય છે.

આપણે ત્યાં ઘણા ઓછા લોકો એવા હોય છે જે એ વાત જાણતા હોય છે કે, શૌચ અને પેશાબનો સીધો સંબંધ આપણા આરોગ્ય સાથે જોડાયેલો હોય છે. અમે તમને જણાવી દઈએ કે, ડોક્ટર્સના જણાવ્યા મુજબ સમયસર ટોઇલેટ કે પેશાબ કરવા જવું એક જરૂરી પ્રક્રિયા છે.

પેશાબ અને ટોઇલેટથી આપણા શરીરની બધી ગંદકી બહાર નીકળી જાય છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે, લોકો પોતાનું કામ પૂરું કર્યા પછી જ બાથરૂમ (પેશાબ) કરવા જાય છે. તે ઉપરાંત બીજી પણ ઘણી વસ્તુ થાય છે. જે વ્યક્તિના આરોગ્ય ઉપર ગંભીર અસર કરે છે.

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને, આજે અમે તમને પેશાબને લઈને થતી આવતી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ભૂલો એવી છે, જે મોટાભાગે દરેક માણસ અજાણતામાં જ કરી રહ્યા હોય છે. સૌથી પહેલી વાત કે જે લોકો દિવસને બદલે રાતના સમયે વધારે પેશાબ જાય છે. તેને સાવચેત થઇ જવાની જરૂર છે.

ડોક્ટર મુજબ, રાત્રે પેશાબ જવાની ટેવ હોય તે આમ લોકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. પેશાબ કરતી વખતે હંમેશા લોકો અજાણતા થોડી ઘણી એવી ભૂલો કરે છે. જેનાથી પાછળથી જીવલેણ બીમારીઓ જન્મ લે છે. આ સૌથી સામાન્ય ભૂલ છે.

આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, વધારે સમય સુધી પેશાબ રોકવાથી કિડનીઓ ઉપર ઘણી ખરાબ અસર પડે છે. તેનાથી કીડની ખરાબ થઇ જવાનો ભય વધી જાય છે. અને એવું કરવાથી બીજા પ્રકારની બીમારીઓ પણ થઇ શકે છે.

સામાન્ય રીતે જે લોકો ઘણું ઓછું પાણી પીવે છે, એમને હંમેશા પીળો પેશાબ આવવાની તકલીફ રહે છે. તમારા આરોગ્યની તપાસ કરવાની સૌથી સારી રીત પેશાબની તપાસ કરાવાની છે. તમે પણ જોયું હશે કે ડોક્ટર્સ મોટાભાગની બીમાંરીઓમાં પેશાબની તપાસ કરાવવાની સલાહ આપે છે.

ખાસ કરીને તમે તમારા પેશાબનો રંગ જોઇને જાણી શકો છો કે તમારું આરોગ્ય કેવું છે. જો પેશાબનો રંગ સામાન્ય છે. તો તમે એકદમ સ્વસ્થ છો. પણ પેશાબનો રંગ પીળો છે. તો તમારે સાવચેત થઇ જવાની જરૂર છે. પોષ્ટિક આહાર લેવો અને યોગ્ય પ્રમાણમાં પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે કે પાણી આપણા શરીર માટે ખુબ વધુ જરૂરી છે.

ડોક્ટર્સ એવું જણાવે છે કે, એક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. પણ લોકો પોતાની વ્યસ્તતાને કારણે એવું નથી કરી શકતા અને શરીરને જરૂરી પ્રમાણમાં પાણી નથી મળી શકતું. અને પેશાબ મારફતે શરીર માંથી ખરાબ તત્વો બહાર નથી નીકળતા. જે શરીરને નુકશાન પહોંચાડે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, યુટીઆઈ એટલે કે યુરીનરી ટ્રેક ઇન્ફેકશન એક એવી ગંભીર બીમારી છે, જેમાં મહિલાઓના પેશાબમાં વધુ દુર્ગંધ આવે છે. આ બીમારીઓમાં મહિલાઓને મૂત્રમાર્ગમાં બળતરા પણ થાય છે.

યુટીઆઈનો ચેપ પેશાબની કોથળીમાં હોય છે. તેથી આવી તકલીફમાં તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ વાતો ભલે નાની નાની છે પણ તેને ધ્યાન બહાર કરીને તમે ગંભીર બીમારીઓની નજીક જઈ શકો છો. તેથી આ નાની નાની વાતોને ધ્યાન બહાર ન કરો.