આજકાલ ઘણા લોકોને સવારે મોડા જાગવાની ટેવ હોય છે, બદલાતી જીવનશૈલી ના કારણે લોકોનું ટાઈમટેબલ એકદમ વિખરાય ગયું છે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી.
જો તમે હાલ આ પરોઢે વહેલા ઊઠવા થી થતા લાભો વિશે જાણી લેશો તો તમે પણ વહેલા ઊઠવા માંડશો. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જોઈએ.
વહેલા ઉઠવાના ફાયદા
અંગત કાર્ય થઇ શકે: સવારે વહેલા ઊઠવાથી તમને રૂટીન કામો પતાવવા માટે પૂરતો સમય મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં જાય છે. જ્યારે મોડા ઊઠવાથી મોડે સુધી સુસ્તી અને ઊંઘ ઊડતી નથી. રોજનાં કામો પણ સમયસર પતી જવાને કારણે ઘાઈ નથી થતી. આને કારણે ખાસ કરીને મહિલાઓમાં ઓછું સ્ટ્રેસ ફીલ થાય છે અને મૂડ સુધરે છે
મગજ ને તેજ બનાવી શકો : તમે પરોઢે વહેલા ઊઠી ને ઘણા એવા કાર્યો કરી શકો કે જેના લીધે તમે દુનિયા સાથે અપ ટુ ડેટ રહી શકો. તમે યુ ટયુબ પર સારા વિડીયો તથા બુક રીડ કરી ને તમારા જ્ઞાન મા વધારો કરી શકો તથા તમારા કાર્યો અંગે નુ પુર્વ આયોજન કરી શકો. જેથી ભુલ થવા ના ચાન્સીસ ઓછા રહેશે.
સારા વિચારો: સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. સવારના સમયે મગજ આરામ પછી ફ્રેશ હોય છે. આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે
વહેલા ઊઠી શકાય એ માટે શું કરવું?:- જો રાત્રે મોડા સૂવાની આદત હોય તો વહેલા સૂવાનું શરૂ કરવું. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં પડી જ જવું
સવારે નવ વાગે ઊઠવાની આદત હોય તો પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું. એને બદલે પહેલા અઠવાડિયે પોણાનવ વાગ્યે ઊઠવાની આદત પાડવી. એ પછીના અઠવાડિયે સાડાઆઠે અને એમ ધીમે-ધીમે કરતાં તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી વળી શકશો. સવારે ઊઠીને તરત જ કોઈક કામ શેડ્યુલ કરીને રાખવું, જેથી સુસ્તીમાં પથારીમાં પડી રહેવાની આદત છૂટે, જો તમને દિવસ દરમ્યાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તેને બંધ કરી દેવી જોઇએ