આજકાલ ઘણા યુવાનો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રીતે રિલેશનશિપમાં રહેતા હોય છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. પરંતુ પરિવારના લોકો એને માન્ય ગણતા નથી. અને ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવતા હોય છે.
દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી મુંજવણ દુર થઇ જશે. તો ચાલો જાણી લઈએ એવા જ અમુક સવાલ વિશે..
સવાલ :- હું ૨૧ વર્ષની યુવતી છું. મને માસિક આવવાનું શરૂ થાય તે પહેલાં સ્તનમાં દુખાવો ચાલુ થઈ જાય છે અને સ્તન ખુબ જ કડક થાય છે. સ્તનમાં ગાંઠ જેવું ફિલ થાય છે. માસિક સ્ત્રાવ પૂર્ણ થાય તે પછી સ્તન પણ પહેલા જેવા નોર્મલ થઈ જાય છે. શું મને કોઈ પ્રકારની મુશ્કેલી થઈ શકે છે. કે પછી આ ગાંઠ સ્તન કેન્સરની તો નહિ હોય ને?
જવાબ :- યુવાની માં ઘણી યુવતીઓને આવી સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યા સાઈક્લિકલ માસ્તાલજીઆ જેવી છે. જેને કેન્સર સાથે કઈ પણ લેવા દેવા નથી. સ્તનના ચોક્કસ ભાગમાં પ્રવાહી ભરાઈ જવાના કારણે આવું થઈ શકે છે. જો કે આનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
તમે તમારા ડોક્ટરની સલાહ લઈને યોગ્ય દવા લઇ શકો. સ્તનમાં માસિક દરમિયાન દુખાવો નોર્મલ ન થાય ત્યાં સુધી વધારે પ્રમાણમાં ચા-કોફી ન પીવી. માસિક દરમિયાન યોગ્ય સાઈઝની ઢીલી બ્રા પહેરવી. વધારે ટાઈટ બ્રા પહેરવાથી પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. કપ બ્રાં પણ પહેરી શકો છો.
સવાલ :- હું 25 વર્ષની છું હજી સુધી મારું માસિક નિયમિત આવ્યું નથી. મારું માસિક અનિયમિત છે. મેં એના ઘણા રીપોર્ટ પણ કરાવ્યા અને એમાં જાણવા મળ્યું કે મને પોલિસાયસ્ટીક ઓવરીયન ડિસીઝ (પીસીઓડી) છે. હું ચાર મહિનાથી હોમિયોપેથી દવા લવ છું.
એ દવાથી મારું માસિક નિયમિત બન્યું છે. એક મહિના સુધી મેં ગર્ભનિરોધક ગોળીઓ પણ લીધી અને આ કોર્સ પૂરો થઇ ગયો પછી પછી માસિકના આઠમા દિવસે મેં જા–તીય સુખનો આનંદ માણ્યો હતો, પરંતુ અમે ત્યારે કોઈ પ્રોટેકશનનો ઉપયોગ કર્યો ન હતો. શું ગર્ભવતી બની શકું છું?
જવાબ :- જો તમારે માસિક નિયમિત થઇ ગયું હોય તો કઈ સમસ્યા નહિ આવે, પરંતુ અનિયમિત માસિક હોય તો ગર્ભવતી બનવાની થોડી ઘણી શક્યતા રહે છે. જો તમારા લગ્ન ન થયા હોય તો કોઈ પણ ગર્ભનિરોધક પધ્ધતિની મદદ વગર સમા–ગમ કરવાથી જોખમ તો રહે જ છે.
ઘણી વાર સાતથી આઠ દિવસ સુધી શુક્રાણુઓ જીવિત રહી શકે છે. નિરોધક વગર સમા–ગમ કરવાથી જોખમ તો રહે જ છે. સમય ગુમાવ્યા વગર કોઈ સારા સારા ગાયને-કોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
સવાલ :- મારી ઉંમર ૨૦ વર્ષ છે. હું મારાથી ૫ વર્ષ મોટા છોકરાની સાથે રિલેશનશિપમાં છું, અમે ઘણી વાર સં@ભોગનો આનંદ પણ લઇ લીધો છે.. પરંતુ તે મારી સાથે લગ્ન કરવા તો તૈયાર છે, પરંતુ મારા માતાપિતા મારા આ નિર્ણયની વિરુદ્ધ છે. મારી મોટી બહેને પણ પ્રેમલગ્ન કર્યા હતા ત્યારે તેને સમસ્યા થઈ હતી. મારે માતા-પિતા અને મારા પ્રેમી બંને માંથી કોઈને પણ દુઃખી કરવા નથી તો મારે શું કરવું?
જવાબઃ તમે થોડી ધીરજ રાખો, તમારી ઉમર હજી ઘણી નાની છે. થોડો સમય રાહ જોવાની જરૂર છે. તમારા પ્રેમી સાથે તમે થોડી વાતચીત ઓછી કરો, ઘરના સભ્યો અને માતા પિતા સાથે વધારે સમય પસાર કરો.
જો આવું કરવા છતાં તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ ઓછો ન થાય તો ઘરમાં માતાપિતાને સમજાવવાનો પ્રયત્ન કરવો. માતા પિતાને તમે કહો કે તેઓ પ્રેમ લગ્ન માટે શા માટે રાજી નથી. એને તમારા પ્રેમીથી શું પ્રોબ્લેમ છે.
તમારા પ્રેમીના ઘર પરિવાર સાથે તમારા માતા પિતાની મુલાકાત કરવો. બંને પરિવાર સાથે મળીને યોગ્ય નિર્ણય લઈ શકશે. બાકી તમારા માતા પિતા તમારા માટે સારું જ ભવિષ્ય ઈચ્છતા હોય છે. એટલા માટે માતા પિતાની સમજાવીને એના વિચારો જાણવાની કોશિશ કરો, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો.