એક વય શારી-રિક સં-બંધને બાંધવા માટે મજબૂર કરી દે છે. સં@ભોગને લઈને પણ જાત-જાતની માન્યતાઓ છે. કોઈ પણ યુવાનો સે@ક્સ વિશે વાત કરવામાં કોઈ શરમ નથી અનુભવતા. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને શારીરિક સબંધને લગતા અમુક સવાલના જવાબ જણાવીશું..
સવાલ :- હું ૨૪ વર્ષની નોકરિયાત મહિલા છું. હજુ સુધી મારા લગ્ન થયા નથી. છેલ્લા બે વર્ષથી મારી બહેનપણીના પિતા સાથે મારે શારી-રિક સંબંધ છે. એ સિવાય ઘણા સાથે પણ મારા શારી-રિક સંબંધો છે. પરંતુ હવે મને આની નફરત થઇ ગઇ છે. શું લગ્ન પછી મને આમાંથી રસ ઉડી નહિ જાય ને?. હું હવે પહેલા જેવી સ્થિતિમાં આવવા માગું છું તો હવે હું શું કરું, મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી..
જવાબ :- તમે એક એજયુકેટેડ મહિલા છો પરંતુ તમે તમારો માર્ગ ભટકી ચુક્યા છો. તમે જાતે જ તમારી જીંદગીમાં સમસ્યા ઉભી કરી રહ્યા છો, જો તમારી બહેનપણીને આ વાતની જાણ થશે તો એને પણ તમે ખોઈ દેશો તેમજ બહેનપણીના સંસારમાં પણ તમે આગ લગાવી રહ્યા છો. જો તમને આની આદત થઇ ગઈ હોય કોઇ મનોચિકિત્સકની સલાહ લઇ શકો છો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. પછી તમે ભૂતકાળ ભૂલીને તમારો જીવનસાથી શોધી જીવનની શરૂઆત કરી શકો છો.
સવાલ :- હું ૨૧ વર્ષની યુવતી છું. અત્યાર સુધી મને સુખી લગ્નજીવન વિશે જ વિચાર આવતા હતા, પરંતુ હમણા મારી માસીના પતિએ મારી માસી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેમજ મારી બેસ્ટ ફ્રેન્ડને તેના પ્રેમીએ દગો આપ્યો. અને મારી એક બહેનના પણ લગ્ન તૂટી ગયા છે. આ બધું જોઇને પછી મને પુરુષ પરથી વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરવાના વિચાર પણ આવતા નથી મને લગ્નથી નફરત થઇ ગઈ છે.
જવાબ :- દરેકના જીવનમાં એવો એક તો સમય આવે છે જ્યારે દરેક તરફથી નિરાશા મળે છે. જેના કારણે ચિંતા થવાનું પણ સ્વાભાવિક છે. પરંતુ બીજાના આવા પ્રકારના કેસને જોઇને દરેક પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર ન કરવો જોઈએ. તે યોગ્ય નથી. હા લગભગ પુરુષો વફાદારી કરતા દગો વધારે આપે છે એ વાત સાચી છે. પરંતુ તમે તમારા જ પરિવારમાં જોઈ લેશો તો તમને લગ્ન કરવામાં મન લાગશે. સ્ત્રીને દગો આપનાર પુરુષોની સામે સ્ત્રીને સાથ આપનારા પુરુષોને પણ રાખો. જો તમે પોઝીટીવ જોશો તો તમને કોઈ ચિંતા નહિ સતાવી શકે.
સવાલ :- મારી ઉંમર ૨૦ વર્ષ છે. હું ૧૯ વર્ષની એક છોકરીને પ્રેમ કરું છે. અમારા બંને વચ્ચે પ્રેમ સબંધ બન્યા તે પહેલા એને કોઈ યુવક સાથે સબંધ હતા, એ મને ખબર હતી, પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે શારી-રિક સંબંધ બનાવ્યા હતા, એટલા માટે મેં તેની સાથેના સંબંધો પુરા કરી નાખ્યા હતા. પરંતુ હું હવે તેના વગર રહી શકતો નથી. મારે તેની સાથે લગ્ન કરવા છે. તો મારે શું કરવું.. મને યોગ્ય નિર્ણય આપશો..
જવાબ :- અમે તમને સાચું જણાવીએ તો એને ભૂલવામાં જ તમારી ભલાઈ છે. જો તમે એને પાછી મેળવી લેશો તો તમને ખાતરી છે કે તે તમને હવે દગો નહિ આપે? પાછી આ જ સમસ્યા આવી શકે છે, કારણ કે આ છોકરી તેની મરજી ચલાવતી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારી સાથે દગો કરી શકે છે. એટલા માટે જે પગલું ભરો તે તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ નિર્ણય લેશો.