સ્વાસ્થ્ય

ખૂબ જ ગુણકારી હોય છે સંચળ, કરી દે છે આ રોગોને દૂર… જરૂર જાણો

Advertisement

ચાલો વાંચીએ તો આના આશ્ચર્યજનક ફાયદાઓ :- સંચળ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે અને મોટાભાગના લોકો ખાવામાં સફેદ સંચળ નો ઉપયોગ કરે છે. હાલમાં આયુર્વેદ એ પણ ગુણકારી માન્યું છે. અને રોજ થોડું સંચળ ખાવાથી ઘણા રોગો સારા થઈ જાય છે. આ માટે તમે સફેદ સંચળ સાથે સાથે કાળાં સંચળ નો પણ પ્રયોગ કરી શકો છો.

કાળા સંચળ ના ફાયદા ઓ :- ગેસ કરે ખતમ :- સંચળ ખાવાથી પેટ હેલ્ધી રહે છે, અને ગેસની સમસ્યામાં આરામ મળે છે. જે લોકોને વધારે પડતું ગેસ થાય છે તે લોકોએ કાળુ સંચળ પોતાની ડાયટમાં સામેલ કરવું જોઇએ. અને રોજ કારણોસર ખાવું જોઈએ. આ રીતે એસીડીટી અને કબજિયાત માં કાળા સંચળ ફાયદાકારક ગણવામાં આવે છે.

Advertisement

મરડા થી મળે આરામ :- પેટમાં દુખાવો અથવા તો મરડો થયો હોય તો સંચળ અને અજમાનો એકસાથે સેવન કરી લેવુ. થોડા અજમા ને ભેગા કરીને પીસી લો. પછી આ પાવડર માં સંચળ ભેળવી દો, આ પાણી સાથે સેવન કરો. આ ચૂર્ણ ખાવાથી મરડો અને દુખાવામાં આરામ મળે છે.

તણાવથી માટે મુક્તિ :- તણાવને દૂર કરવા માટે સંચળ એ સહાયક હોય છે અને તેને ખાવાથી મન શાંત થાય છે. તણાવ થવા પર રોજ રાતે સૂતા પહેલા થોડો એવો સંચળ ચાટી લો આરામ મળશે. ખરેખર સંચળ એ આપણા શરીરમાં સેરોટોનિન હોર્મોન ને વધારાનું કામ કરે છે. જેનાથી તણાવ થતો નથી. આવી રીતે અનિદ્રા માં પણ સંચળ ફાયદા કારક હોય છે. તેને ખાવાથી નીંદર ન આવવાની સમસ્યા દૂર થાય છે.

Advertisement

સોજો ઓછો કરે :- સોજાને ઓછો કરવા માટે કાળા સંચય નો પ્રયોગ કરવો જોઈએ. ઘાવ અને સાંધાના દુખાવા અથવા સોજા થાય ત્યારે કાળા સંચળનો શેક કરવો જોઈએ. તમે કાળા સંચળને કોઈ મોટા વાસણમાં નાખીને તેને સારી રીતે ગરમ કરો. અને કોટનના કપડામાં બાંધી લો. આ કપડાને સૂતી વખતે સોજા અથવા તો દુખાવા પર શેક કરો. સોજા અથવા તો દુખાવો ઓછો થઈ જાય છે અને તમને આરામ મળશે.

વજન ઓછું કરવા માટે ઉપયોગી :- જે લોકો પોતાનું વજન ઓછું કરવામાં લાગી રહ્યા છે, તે લોકોએ સફેદ નમક ની જગ્યાએ કાળા સંચળ નો ઉપયોગ કરવો જોઈએ. કાળા સંચયમાં સોડિયમની માત્રા ઓછી હોય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

Advertisement

સંચળ ખાવાના નુકસાન :- વધારે પડતી માત્રા માં સંચળ ખાવાથી શરીરમાં ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે. આ માટે વધારે પડતું સેવન કરવાથી બચો. કાળા સંચળ વધારે ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, હાઈપરટેન્શન, હૃદયના રોગો, કિડનીની ને લગતી સમસ્યાઓ, પથરી અથવા સ્ટોન અને પેટ નું કેન્સર થવાનો ખતરો વધે છે.

કઈ રીતે કરવું જોઈએ કાળા નમક નું સેવન :- ઘણીવાર સંચળ ને શાકભાજીમાં નાખીને પણ ખાઈ શકાય છે. ઘણા લોકો તેને દહીંમાં મેળવીને પણ ખાવાનું પસંદ કરે છે. આ માટે તમે દહીમાં પણ મેળવી શકો છો. સલાડ પર પણ કાળો નામક નાખી શકો છો. આ માટે તમે સલાડમાં પણ મેળવીને ખાઈ શકો છો. આના સિવાય લીંબુ પાણી બનાવતી વખતે તેમાં સંચળનો ઉપયોગ કરી શકો છો.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago