કેરી ખાઈને પછી આ વસ્તુ ખાવામાં આવે તો શરીરને થઇ શકે છે નુકશાન..

સ્વાસ્થ્ય

અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે એટલા માટે દરેક લોકો કેરી ખાતા જ હશે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી દરેક લોકો ને ખુબ જ પસંદ હોય છે અને ખુબજ સ્વાદિષ્ટ પણ હોય છે. કેરીનું સેવન અનેક રોગો સામે રક્ષણ આપે છે.

કેરી રસથી ભરેલી હોય છે.  આ ફળનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે અને તેને ખાવાથી શરીરને ખૂબ જ લાભ મળે છે. જે લોકો કેરીનું સેવન કરે છે. તેમના શરીરમાં લોહીનો અભાવ થતો નથી. આ ફળનું નિયમિત સેવન કરવાથી પાચક સિસ્ટમ પર પણ સારી અસર પડે છે અને પેટ સંબંધિત કોઈ રોગો રહેતા નથી.

અમે તમને જણાવી દઈએ કે કેરી ખાતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે તેનું વધારે સેવન ન કરવું. વધુ કેરી ખાવાથી શુગર ની બીમારી થઈ શકે છે. એવી કેટલીક ચીજો પણ છે જે કેરી ખાધા પછી તરત જ ખાવી ન જોઈએ. આ વસ્તુઓ કેરીની સાથે ખાવાથી શરીરમાં રોગો થઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ..

પાણી :- કેરી ખાઈને પછી તરત જ પાણી પીવાની ભૂલ ન કરવી. કેરી ઉપર પાણી પીવાથી પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી ની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત આંતરડાનો ચેપ પણ થઇ શકે છે. એટલા માટે કેરી ખાધા પછી તરત પાણી પીવું નહીં. જો તમને ખૂબ તરસ લાગે છે તો કેરી ખાધાના ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવો.

કોલ્ડ ડ્રિંક ન પીવું :- કેરી ખાઈને પછી તરત જ કોલ્ડ ડ્રિંક્સ કે કોઈ જ્યુસ પીવું નહીં. કોલ્ડ ડ્રિંક્સ પીવું નુકસાનકારક સાબિત થાય છે. તેવી જ રીતે કેરી ઉપર રસ પીવાથી શરીરમાં સુગરનું સ્તર વધે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીઝ થઈ શકે છે. તો આ માટે ભુલી ને પણ ખાધા પછી આ વસ્તુ ઓ પીવાની ભૂલ ન કરો.

દહીં :– કેરી ખાધાના ઓછામાં ઓછા 1 કલાક પછી જ દહીંનું સેવન કરવું જોઈએ. કેરી ખાધા પછી તરત જ દહી ખાવાથી શરીરમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જેના કારણે શરીરમાં અનેક રોગોનો પરિચય થાય છે.

કારેલા :– કેરીનું સેવન કર્યા પછી કારેલાનું સેવન ન કરવું જોઈએ. કેરી ખાધા પછી કારેલા ખાવાથી મૂડ ખરાબ થાય છે. ઘણી વાર ઉબકા, ઉલટી થવી અને શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે.

મસાલેદાર ભોજન :– કેરી ખાધા પછી તરત જ ગરમ, તીખી મિર્ચી અને મસાલેદાર ખોરાક ન ખાશો. કેરી પછી મસાલાવાળી વસ્તુઓ અથવા મરચું ખાવાથી પેટ અને ત્વચાના રોગો થઈ શકે છે.

ખાંડ :– કેરીનું સેવન કર્યા પછી ખાંડ ખાવાનું ટાળો. કેરી ઉપર સાકર અથવા ખાંડવાળી વસ્તુ ખાવાથી ખાંડની માત્રા વધે છે. ક્યારેક મન પણ પરેશાન થઈ જાય છે

તો આવી કોઈ કોઈ પણ વસ્તુ જે કેરી ખાધા પછી તરત ન ખાવી જોઈએ. કેરી ખાઈને ગરમ દૂધ પીધા પછી તેનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેરી પછી દરરોજ ખાંડ વગરનું દૂધ પીવું જોઈએ. એટલા માટે શરીરમાં લોહીનો અભાવ થતો નથી. આની સાથે તે ત્વચાને પણ સુધારે છે.