આજકાલ ઘણા યુવાનો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રીતે રિલેશનશિપમાં રહેતા હોય છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. પરંતુ પરિવારના લોકો એને માન્ય ગણતા નથી. અને ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવતા હોય છે.
દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી મુંજવણ દુર થઇ જશે. તો ચાલો જાણી લઈએ એવા જ અમુક સવાલ વિશે..
સવાલ. હું ઘણા મહિનાથી મારા બોયફ્રેન્ડની સાથે રિલેશનશિપમાં છું. અમે બંને એક સાથે ખૂબ જ ખુશ છીએ. તે મને સમજે પણ છે અને મારું ધ્યાન પણ રાખે છે, પરંતુ એનો પરિવાર લવ મેરેજમાં વિશ્વાસ કરતો નથી. એના લગ્ન સુધી હું એની સાથે રહેવા માંગુ છું, પરંતુ ક્યારેક-ક્યારેક બધું ખુબ જ અટપટો અને અર્થ વગરનું લાગવા લાગે છે, શું મારે એનાથી અલગ થઈ જવું જોઈએ
જવાબ. તમે બધું જાણો છો અને સમજો પણ છો તમે પણ જાણો છો કે તમને એનાથી અલગ થઈને તકલીફ થવાની છે, તો પછી અલગ અત્યારે થવું કે પછી પરંતુ જો તે થોડા વર્ષમાં કોઈ બીજા સાથે લગ્ન કરી લેશે તો શું તે તમારા વગર ખુશ રહી શકશે બની શકે છે.
તમારા બંનેના આ પ્રેમને કારણે તે પણ લગ્ન પછી ખુશ ના રહે અને એમની પત્નીને પણ ખુશ ના રાખી શકે, તમારા લગ્ન પણ મજબૂરી બનીને રહી જશે. આવા વિચાર કરતાં તો સારું છે કે તમે અત્યારે જ એનાથી અલગ થઈ જાઓ, થોડા દિવસ તકલીફ થશે, અમુક મહિના તકલીફ થશે, થોડા વર્ષ તકલીફ રહેશે, પરંતુ તમારા બંનેનો ફ્યુચર મજબૂરી નહીં બને.
સવાલ. હું ૩૬ વર્ષની પરિણીત મહિલા છું અમે બન્ને પતિ-પત્નીના આ બીજા લગ્ન છે. પહેલા પતિથી એક પુત્રી મારી સાથે છે. પતિ ના બે બાળકો છે, એક પુત્રી અને એક પુત્ર. બંને બાળકો મારી દીકરી થી મોટા છે. પતિએ લગ્ન પહેલા કહ્યું હતું કે મારી પુત્રીને તે એના બાળકો જેવો જ પ્રેમ આપશે.
તેણે કરેલા પ્રોમિસ પર તે અડગ પણ છે. મારી પુત્રીને સારી સ્કૂલમાં ભણાવી રહ્યા છે. બાળકોને પ્રેમ પણ આપે છે, પરંતુ એના બાળકો ન તો મને મા નું માન દિલથી આપે છે અને ન તમારી દીકરી સાથે પ્રેમ થી રહે છે, મારી દીકરી મૂંઝાયેલી રહે છે. હું શું કરું મને યોગ્ય ઉકેલ જણાવશો..?
જવાબ. તમારા પતિના વિચાર યોગ્ય છે. અત્યારે તમે લોકો સાથે રહેવાનો થોડો સમય જ થયો છે. એ સિવાય લાગે છે કે લગ્ન પહેલા તમારા પતિ એ એમના બાળકોને માનસિક સ્તર પર તૈયાર કર્યા નથી જો લગ્ન પહેલા તે એને વિશ્વાસ આપી દેત અને જણાવી દેત કે યોગ્ય પરવરિશ માટે માતા-પિતા બંને નો સહયોગ જરૂરી હોય છે.
તે અમુક અવસરો પર એકલા આ જવાબદારી ને નહીં નિભાવી શકે એટલા માટે એના માટે નવી માલ આવી રહ્યા છે, જે એને પ્રેમ આપશે ઘર-પરિવારમાં મદદ કરશે તો વધારે સારું રહે, પરંતુ તમારા પતિ એ એના બાળકોને એવું કહ્યું નથી એટલા માટે કઠિનાઈ આવી રહી છે. હજી પણ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
તમે ધીરજ બનાવી રાખો તમે તમારે પુત્રી પ્રત્યે બાળકોની અપેક્ષાને વધારે ભાવ ન આપો પછી તે સામાન્ય વ્યવહાર કરવા લાગશે. તમે તમારા મગજ માંથી આ વિચાર કાઢી નાખો કે લગ્ન કરીને તમે કોઈ ભૂલ કરી છે બાળકો મોટા થઈને પોત પોતાની જિંદગીમાં આગળ વધી જશે ત્યારે તમારે સુખ-દુઃખમાં સાથ આપવા માટે કોઈની અપેક્ષા હશે. એટલા માટે તમે જે પગલું ભર્યું છે તે યોગ્ય છે.