સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકાની કરાઈ હત્યા, જાણો શું હતું કારણ…

તાજેતાજુ

સુરતમા નાના એવા પ્રશ્નને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોતને ભેટેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીના કૌટુંબિક કાકા છે. પોલીસે હત્યારાની અટક કરી લીધી છે.

ગંભીર હાલતમાં મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કર્યો છે.

પુત્ર પ્રિતેશ સંઘવી એ જણાવ્યું હતું કે પપ્પા મહેશભાઈ શાંતિલાલ સંઘવી ડાયમંડના ધંધા સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત હતા. મહેશભાઈ સાડા ચાર વાગ્યાની આસપાસ પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત ફરતા લિફ્ટમા હતાં. ત્યારે બોની કમલેશ મહેતા નામના યુવક સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા ઝઘડા થયા હતા. જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.