હાર્દિક પટેલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો: આ કામ કરવા દબાણ નાખ્યું, કહ્યું જો નહિ થાય આવું તો ૨૦૧૭નું પુનરાવર્તન થશે…

રાજનીતિ

નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાતના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ર લખ્યો હતો જેમાં તેણે પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી તેમજ મુખ્યમંત્રી બનવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતું.

તેણે કહ્યું હતું કે પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું કરવામાં સહાય કરી છે અમુક એવા વિસ્તારો કે જ્યાં સરકાર પહોંચી શકતી ન હતી ત્યાં પણ શિક્ષણ માટે દાન આપીને પાટીદાર સમાજે ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે. તેમજ હવે ગામડાંના ખેડૂતોને જમીન નાની થઈ ગઈ છે અને ખેડૂતો પણ નાના છે તેમાં મોટાભાગના ખેડૂતો ગરીબ છે. તેથી તેમના સંતાનોને સરકારી નોકરીમાં અનામત મળે તે માટે અમે આંદોલન કર્યું હતું.

તેણે વધુમાં કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતના ગરીબ સવર્ણોને ફાયદો મળ્યો છે. જો આ આંદોલન ખોટું હોત તો ૬૦ ટકા ગરીબ સવર્ણોને ફાયદો થયો ન હોત. તેણે કહ્યું હતું કે મેડિકલ કોલેજો અન્ય શૈક્ષણિક ખર્ચમાં નરેન્દ્રભાઇ મોદીએ પણ રાહત આપી છે. તેમજ લાખો પરિવારોને ફાયદો થાય તેવા નિર્ણયો સરકારે લીધા છે.

તો પછી જો બધી જ બાબતે આંદોલન સાચું હોય તો પછી આંદોલનકારીઓ ઉપર કરેલા કરાયેલા ગુનાઓ હજુ સુધી પરત ખેચાય નથી.

હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તેની ઉપર 28 ગુના છે અને સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે રાજદ્રોહનો ગુનો દાખલ કરી શકાય નહીંએમ તેમજ લાલજીભાઈ પટેલ ઉપર પણ એટલા ગુના છ, બીજા અન્ય 30 જેટલા આગેવાનો પણ કેસ છે. તેમાંથી ઘણા ને જેલ પણ થઇ છે. તેથી અમારી માગણી છે કે આ તમામ ગુના ઓ પરત ખેંચવામાં આવે.

તેણે એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે પદમાવતી ફિલ્મનો વિરોધ દરમિયાન કરણી સેના પર કેસ કરવામાં આવ્યા હતા. જે મોટાભાગના પરત ખેંચી લેવાયા હતા. તેમણે કહ્યું હતું કે કેસ પાછા ખેંચવા માટે અગાઉની સરકારે કામગીરી શરૂ કરી હતી અને પૂર્ણ કરવા હવે તમારી સરકારે કવાયત હાથ ધરવાની જરૂર છે.

તેણે કહ્યું હતું કે તમે જે જૂથ સાથે જોડાયેલા છો એ જૂથના મુખ્ય આગેવાન આનંદીબહેન પટેલે 29 july 2016 ના રોજ કેસો પરત ખેંચવા માટે આદેશ કર્યો હતો. અને ત્યારબાદ ની બેઠકમાં 155 કેસ પરત ખેંચવાની વાત કરવામાં આવી હતી. જેમાં 54 કેસ પરત ખેંચવાની સાથે બીજા 209 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી ત્રીજા તબક્કામાં 182 ગુના પરત ખેંચવાના હતા. 430 કેસમાંથી 400 કેસ એટલે કે 90 ટકા તો ત્યારે પરત ખેંચાઈ જવા જોઈતા હતા.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આનંદીબહેન પટેલ તેમણે આપેલા વચન માટે મક્કમ હતા. અને સર્વ સમાજના અનામતના ન્યાય માટે અમારી જીત થઇ છે. પરંતુ પોલીસ અને ભાજપના નેતાઓની કામગીરીથી સમગ્ર ગુજરાતમાં અસંતુષ્ટ છે. જો ભાજપને આ વખતે ફરી સરકારમાં આવવું હોય તો તેણે આ કેસો પરત ખેંચવા પડશે.