આજકાલ ઘણા લોકોને વાળની સમસ્યા રહેતી હોય છે. યોગ્ય પોષણ ન મળવાના કારણે પણ વાળની સમસ્યા પરેશાન કરે છે. વધારે ગરમીના કારણે વાળ તૂટતા હોય છે. ઘણી યુવતીઓ વાળની સમસ્યાના કારણે ડિપ્રેશનમાં જતા રહે છે. વાળની સમસ્યા માટે સૌથી સુરક્ષિત અને સૌથી અસરકાક જો કોઈ સારવાર હોય તો તે યોગાસન છે.
પ્રાચિન કાળના આ વ્યાયામ શરીરના લગભગ દરેકે દરેક તત્ત્વ માટેની ઉત્તમ સંભાળ રાખે છે. વાળ ખરવા અને માથામાં ટાલ પડવી તે માત્ર તમારા દેખાવામાં જ ઘટાડો કરતા નથી, પણ તમારા આત્મવિશ્વાસમાં પણ ઘટાડો કરે છે અને તેની સૌથી પહેલી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.
આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક એવા યોગાસન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વાળ ખરતા અટકાવવાની સાથે વાળને મજબૂત બનાવી રાખે છે અને વાળની સમસ્યા દુર કરે છે. આનાથી તમારા વાળને કોઈ આડઅસર થતી નથી. તો ચાલો જાણી લઈએ એ ક્યાં યોગાસન છે જેને કરવાથી વાળની તમામ સમસ્યા દુર થઇ શકે છે…
સર્વાંગાસન :- વાળની થતી સમસ્યા દુર કરવા માટે આ મુદ્રામાં યોગા કરવા સૌથી બેસ્ટ માનવામાં આવે છે., સૌ પ્રથમ આસન પાથરીને સૂઈ જવું. હવે બંને પગ ઉભા કરવા અને કમર ધીમે ધીમે ઉપરની તરફ કરવી.
કમર ઉપાડતી વખતે, ટેકો માટે હથેળીઓને પીઠ પર રાખવી. થોડો સમય આ પદ પર રહ્યા પછી થોડું સામાન્ય થઈ જવું. આ આસન નિયમિત કરવાથી વાળ મજબૂત બનશે એટલું જ નહીં, પરંતુ વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.
ઊષ્ટ્રાસન :- આ આસન કરવાથી વાળ ખરતા અટકી જાય છે. એની સાથે આંખોનો રોશની વધારે છે. આ આસન કરવા માટે, પહેલા તમારા ઘૂંટણ પર ઉભા રહો હવે બન્ને પગને ઉપરથી ઉઠાવીને કમરને ધીમે-ધીમે ઉપર તરફ લો.
કમરને ઉંચી કરતા સમયે સહારા માટે હથેળીઓ પીઠ પર રાખો થોડીક વાર આ સ્થિતિમાં રહ્યા બાદ સામાન્ય અવસ્થામાં આવી જાવ. નિયમિત આ આસર કરવાથી ન માત્ર વાળ મજબૂત થશે પરંતુ ખરતા વાળની સમસ્યાથી પણ રાહત મળશે.
શીર્ષાસન :- આ આસન કરવાથી તમે વાળની સમસ્યાઓ દૂર કરી શકો છો. આ સિવાય આ મુદ્રા નિયમિત કરવાથી ચહેરો ગ્લો થાય છે અને તેના પર વૃદ્ધત્વના કોઈ ચિન્હો દેખાતા નથી. આ આસન કરવા માટે, વ્રજાસનની સ્થિતિમાં બેસો અને આગળ ઝૂકવું.
હવે જમીન પર બંને કોણી સાથે, તમારા હાથની આંગળીઓને એકબીજા સાથે જોડો. પછી માથા પર આરામ કરતી વખતે ધીમે ધીમે શરીરના આખા વજનને ઉપરની તરફ ઉભા કરો. તમારા આખા શરીરને માથાથી સીધા રાખો. થોડો સમય આ રીતે રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment