ગરમીમાં રસદાર દ્રાક્ષ ખાવાના છે અઢળક ફાયદા, જે ઘણી બીમારીઓ સામે પણ મદદ કરે છે.

સ્વાસ્થ્ય

અત્યારે તો દ્રાક્ષની સિઝન ચાલી રહી છે. આયુર્વૈદમાં દ્રાક્ષના સેવનને ખજાનો કહેવામાં આવે છે. દ્રાક્ષ શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. દ્રાક્ષનું સેવન ઘણા લોકો કરતા હોય છે. જેમાંથી મળતી કેલરી, ફાઇબર અને વિટામિન c અને વિટામિન E શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં અવ્યવસ્થિત જીવનશૈલી વચ્ચે માઇગ્રેન આમ સમસ્યા છે. એવામાં દ્રાક્ષનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે. દ્રાક્ષના વેલા હોય છે. દ્રાક્ષના સેવનથી માનસિક તણાવ ઘટે છે અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. દ્રાક્ષ કઇ રીતે સ્વાસ્થ્ય માટે ગુણાકારી છે જાણીએ…

દ્રાક્ષ સેવનના અદભૂત ફાયદા :- જો આપના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો દ્રાક્ષ આપના માટે ઉપકારક છે. દ્રાક્ષના જ્યુસમાં મધ નાખીને પીવાથી લોહીની કમી દૂર થાય છે અને એનર્જી લેવલ જળવાય રહે છે. દ્રાક્ષ કોઈપણ પ્રકારની હોય એ રસભર્યું ફળ હોવાથી દ્રાક્ષ ખાવાથી પાણીનો શોષ ઓછો પડતોહોવાનું અનુભવે સમજાયું છે.

ડાયાબિટીસના દર્દી માટે પણ દ્રાક્ષ ઔષધ સમાન છે. દ્રાક્ષના ફળ ખુબ જ મીઠ્ઠાં અને રસભર્યા થાય છે.  દ્રાક્ષનુ સેવન શરીરમાં શુગરનું લેવલ ઓછું કરે છે અને આયરનનું પ્રમાણ વધારે છે તેથી ડાયાબિટીસ દર્દી માટે તે દવાનું કામ કરે છે.

કબજિયાતની સમસ્યામાં પણ દ્રાક્ષનું સેવન હિતકારી છે. દ્રાક્ષનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સાથે જ ભૂખ પણ ઊઘડે છે. મહત્ત્વનું છે કે જો કબજિયાતની સમસ્યા વધી રહી છે તો તેના કારણે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગ ઘર કરે છે. જો આપ કબજિયાતની સમસ્યાથી પીડિત હો તો દ્રાક્ષનું જ્યુસ પીવાથી રાહત મળે છે.

હાર્ટથી જોડાયેલી બીમારીઓથી બચવા માટે પણ દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. હૃદય માટે પણ દ્વાક્ષ હિતકારી, જો આપ હૃદય સંબંધિત કોઇ સમસ્યાથી પરેશાન હોય તો દ્રાક્ષને ડાયટમાં સામેલ કરી શકો છો.

માઇગ્રેન આમ સમસ્યા છે. માઇગ્રેઇનના દર્દી માટે પણ દ્રાક્ષનું સેવન ઉપકારક છે. દ્રાક્ષનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે. માઇગ્રેઇનની સમસ્યામાં દ્વાક્ષ અથવા દ્વાક્ષનું જ્યુસ પીવાથી માઇગ્રઇનના દુખાવાથી રાહત મળી શકે છે. માઇગ્રેઇનના પેશન્ટે અવશ્ય ગરમીની સિઝનમાં દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.

બ્લડપ્રેશરમાં પણ પણ દ્રાક્ષ રામબાણ ઇલાજ છે. દ્રાક્ષના સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. જો આપ હાઇ બ્લડપ્રેશરથી પીડિતા હો તો દ્રાક્ષના સેવનથી ઘણો ફાયદો થાય છે. હાઇબ્લડ પ્રેશરના દર્દીઓએ અઠવાડિયામાં 2થી 3 વખત દ્રાક્ષનું સેવન કરે તો તે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે.