ઘઉં માત્ર અનાજ જ નહી, પણ એક ઉપયોગી ઔષધિ પણ છે, જાણો ફણગાવેલા ઘઉં ખાવાના છે ચમત્કારિક લાભ..

સ્વાસ્થ્ય

ઘઉં માત્ર બળવર્ધક અનાજ જ નહી, પણ એક સરસ ઉપયોગી ઔષધી પણ છે. તમે નહી જાણતા હશો એના 5 ઉપયોગી ફાયદા પણ તમને ખબર હોવા જોઈએ એના આ જાદુઈ ઔષધીય ગુણ આજકાલ જેવી રીતે મૌસમમાં બદલી રહી છે તેને જોતા આપણે આપણા ખાન-પાનમાં થોડો ફેરફાર કરવો ખૂબ જરૂરી છે.

ચિકિત્સક મુજબ જે રોજ અંકુરિત અનાજનું સેવન શરૂ કરી દે છે એ ઘણા રોગોથી બચી શકે છે. અનાજને અંકુરિત કરવાથી એના પોષક અને પાચક ગુણ વધી જાય છે. જો તમે દરરોજ અંકુરિત અનાજનુ સેવન કરશો તો તમારા શરીરને વિટામિન, મિનસ્ર્લ્સ, ફાઈબર ફોલેટ વગેરે મળશે જે તમારી ત્વચા અને વાળ માટે લાભકારી છે.

ઘઉંનો ફણગાવેલો ભાગ એ ઘઉંનો સૌથી મહત્વનો અને ફાયદાકારક ભાગ છે. તેમાં અનાજની બધી ખૂબીઓ ભરેલી હોય છે. એક ઘઉંના દાણાના ત્રણ ભાગ હોય છે એક બહારી પરત હોય છે, ત્યારબાદ ઘઉંનો બીજો ભાગએન્ડોસ્પર્મ હોય છે અને ત્રીજો ભાગ અંકુર હોય છે.

જે અનાજનો સૌથી મધ્યનો ભાગ હોય છે. ફણગાવેલા ઘઉં અન્ય અનાજની તુલનાએ સૌથી વધારે પૌષ્ટિક હોય છે. અંકુરિત ઘઉંના સેવનથી શરીરના મેટાબ્લિજ્મ રેટ પણ વધે છે. જેથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. જેથી શરીરની ગંદગી બહાર નિકળે છે અને લોહી શુદ્ધ થાય છે.

જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે. જાણો સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને શું લાભ થાય છે :

પથરી :પથરી કે સ્ટોન હોવાની સ્થિતિમાં ઘઉં અને ચણાને ઉકાળીને એના પાણીને થોડા દિવસો સુધી દર્દી માણસને પીવડાવતા રહેવાથી મૂત્રાશય અને ગુર્દાની પથરી ગળીને નિકળી જાય છે.

અસ્થિ ભંગ :આ સ્થિતિમાં થોડા ઘઉંના દાણાને તવા પર શેકીને વાટી લો. એમાં મધ મિક્સ કરી થોડા દિવસો સુધી ચાટવાથી અસ્થિ ભંગ દૂર હોય છે.

ખાંસી :- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું મિકસ કરી 250 ગ્રામ પાણીમાં બાફી લો. જ્યારે સુધી પાણીની માત્રા એક તિહાઈ ન રહી જાય. એને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખાંસી ચાલી જાય છે.

સ્મરણ શક્તિ :- ઘઉંથી બનેલું હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. એની સાથે જ મગજની નબળાઈને દૂર કરવામાં પણ આ ખૂબ મદદગાર સિદ્ધ હોય છે.

ખંજવાળ :- ઘઉંના લોટને બાંધીને ત્વચાના બળતરા , ખંજવાળ ફોળા-ફોલ્લીઓ અને અગ્નિમાં બળતરા થઈ જવાથી ઠંડક આપી શકાય છે. એ સિવાય જો કોઈ ઝેરીલા કીટ કાપી લે તો ઘઉંના લોટમાં સિરકા મિક્સ કરી દંશ સ્થાન પર લગાવવાથી પણ લાભ હોય છે.

કેવી રીતે કરશો અંકુરિત :- ઘઉંને સાફ કરીને 6-12 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ કપડામાં બાંધીને મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો.