અમદાવાદમાં આપઘાતના બનાવોમાં દિન પ્રતી દિનવધારો થાય છે. નાની નાની વાતોમાં અથવા તો નાના મોટા પારિવારિક ત્રાસને કારણે આપઘાતના કેસ વધ્યા છે. બીજી તરફ, કોરોનાકાળમાં રોજગારીના પ્રશ્નોને કારણે પણ આપધાત કરવાના બનાવો નોંધાઈ રહ્યા છે.
ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિ એ ચોથા માળેથી છલાંગ મારી હતી. સદનસીબે આ યુવક નીચે પતરાં પર પડતાં તેનો જીવ બચી ગયો હતો. પતરાં પર પડતાં યુવકનો જીવ બચી ગયો.
અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ઉ બ્લોકના ચોથા માળેથી આજે વહેલી સવારે એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકને ચોથા માળેથી કૂદકો માર્યો હતો. પહેલાં ત્યાં હાજર લોકોએ બૂમો પાડીને આવું નહીં કરવા માટે પણ સમજાવ્યો હતો,
પરંતુ તેણે આખ આડા કાન કરીને આખરે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું. નસીબ જોગે તે પતરાં પર પડતાં તેનો જીવ બચી ગયો હતો. યુવકને બચાવવા માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
ફાયરબ્રિગેડના રેસ્ક્યુ વાહનો રવાના કરવામાં આવ્યાં હતાં. ફાયરબ્રિગેડના જવાનના નિવેદન મુજબ, ફાયરબ્રિગેડના અધિકારી તેને બચાવવા માટે સમજાવી રહ્યા હતા એ દરમિયાન જ યુવકે ઉપરથી નીચે કૂદકો મારી દીધો હતો.
પરિણામે યુવકને તાત્કાલિક સારવાર અર્થે ત્યાં સિવિલ હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારા યુવકનું નામ નરેશ સોલંકી છે. યુવકે શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો એની માહિતી યુવકના ભાનમાં આવ્યા બાદ જ જાણવા મળી શકે છે.