વિશ્વભરમાં મોટાભાગનાં દેશોમાં અને ભારતમાં પણ, સ્તન કેન્સરના કિસ્સાઓ વધી રહયા છે. સ્તનના કેન્સરની સારવાર સમયસર કરવામાં આવે તો એને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓનું પ્રમાણ ઘટી શકે છે, એટલું જ નહી પરંતુ એની સારવાર પણ શરૂઆતના તબક્કામાં ઓછી ખર્ચાળ અને સરળ રીતે થઇ શકે છે.
આજના જમાનામાં અંગ્રેજી દવાઓ અને તબીબી પદ્ધતિઓ ઘણી રહી હોવા છતાં, આજે પણ આપણી જુની આયુર્વેદિક પદ્ધતિ જ વધારે અસરકારક છે. આયુર્વેદમાં, ફક્ત અસાધ્ય રોગોની સારવાર જ શક્ય નથી, પરંતુ તે સંપૂર્ણપણે સલામત પણ માનવામાં આવે છે. કોઈ પણ ગંભીર રોગોમાં અંગ્રેજી દવાઓ અસર કરતી n હોય, તો તેનું નિદાન ફક્ત આયુર્વેદમાં જ જોવા મળે છે.
હાલમાં જ જાણવા મળ્યું છે કે જ્યાં કેન્સર પીડિતા મહિલાને જ્યારે સારવાર મળતાં કંટાળીને ‘હળદરની ગોળી’ આપી અને તેને’ લેવાનું શરૂ કર્યું, થોડા દિવસોમાં જે પરિણામ જોવા મળ્યું, તે છેલ્લા પાંચ વર્ષમાં સારવાર દરમિયાન ક્યારેય મેળવી શકાયું નહીં.
આ કિસ્સો બ્રિટનમાં બનેલો છે જ્યાં એક મહિલાએ ફક્ત ઘરેલું દવાઓનો ઉપયોગ કરીને જીવલેણ રોગ ‘બ્લડ કેન્સર’ ને હરાવી દીધું છે. તેની સારવાર કરતા ડોક્ટરોએ પણ હિંમત છોડી દીધી ત્યારે તે ખુબ જ ગંભીર હાલતમાં હતી.
આ 67 વર્ષિય દિનેક ફર્ગસન છેલ્લા પાંચ વર્ષથી ઉત્તર બ્રિટનમાં રહે છે જે બ્લડ કેન્સરથી પીડિત હતી. તેણે તેની સારવાર કરાવી, પરંતુ તેનો કોઈ ફાયદો મળતો ન હતો. છેવટે, જ્યારે તેણે જાતે તેની સારવાર બંધ કરી અને હળદરની ગોળી ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેની સ્થિતિમાં ઘણો સુધારો થયો અને અંતે એમણે કેન્સરને હરાવી દીધું.
એક મીડિયા મુજબ બ્લડ કેન્સર ‘માયલોમા’ થી પીડાતા ફર્ગ્યુસનને ત્રણ વાર કીમોથેરાપી આપવામાં આવી હતી, પરંતુ તેની સમસ્યામાં ફાયદો થવાને બદલે વધતો ગયો. આવી સ્થિતિમાં ડોકટરોને પણ ડર લાગવા લાગ્યો કે હવે ફર્ગ્યુસનની હાલત સુધરશે નહી અને તેમનો જીવ બચી જશે કે નહિ.
માયલોમા કેન્સરમાં પ્લાઝ્મા સેલ અસામાન્ય અને અનિયંત્રિત રીતે વધે છે. પરંતુ હવે તે સમય માટે, ફર્ગ્યુસનનો પ્લાઝ્મા સેલ ખૂબ જ ઓછો થયો છે અને સારવારથી નહીં પરંતુ ઘરેલું દવા દ્વારા આ શક્ય બની ચુક્યું છે. હકીકતમાં, જ્યારે ફર્ગ્યુસનને સારવારનો કોઈ ફાયદો મળતો ન હતો, ત્યારે તેણે તેની સારવાર કરવાનું બંધ કરી દીધું.
આ કેન્સર પીડિતા મહિલાએ દરરોજ આઠ ગ્રામ હળદરની ગોળી લેવાનું શરૂ કર્યું. તેણીએ લાંબા સમય સુધી આ કર્યું અને પરિણામ એ આવ્યું કે જ્યારે તે થોડા વર્ષો પછી ડોક્ટર પાસે પહોંચી, ત્યારે તેની સ્થિતિમાં સુધારો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ફર્ગ્યુસનની સારવાર કરી રહેલા બાર્ટના હેલ્થ એનએચએસ ટ્રસ્ટના ડોકટરો કહે છે કે જરૂરી સારવાર બંધ કરી દેવા છતાં આ વધતો રોગ ઠીક થઇ ગયો.
અમે તમને જણાવી દઈએ કે આ ગોળી રસોડામાં વાપરવામાં આવતી સામાન્ય હળદરની નહોતી. .પરંતુ તે તેનાથી ઘણી અલગ છે. જાણવા મળે છે કે આ 10 દિવસની ટેબ્લેટની કિંમત આશરે ૪૨૯૭ રૂપિયા છે. તેમાં રસોડામાં વપરાતી હળદર કરતા વધારે માત્રામાં કર્ક્યુમિન હોય છે. હકીકતમાં, હળદરમાં જોવા મળતો કર્ક્યુમિન એક પ્રકારનો તત્વ છે, અને આ કારણોસર હળદરની ગોળી આ સ્ત્રી કેન્સરને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.