બોલિવુડના દબંગ ખાન સલમાન ખાને ૩૨ વર્ષ પહેલા મેને પ્યાર કિયા ફિલ્મ કરી હતી. આ ફિલ્મ તે સમયની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ એ 2 સ્ટાર ને સુપર સ્ટાર બનાવી દીધા હતા. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે એક્ટ્રેસ ભાગ્યશ્રી એ મુખ્ય ભૂમિકા ભજવી હતી, આજે ભાગ્યશ્રી 52 વર્ષની થઇ ચૂકી છે.
અભિનેત્રી ભાગ્યશ્રી નો જન્મ 23 ફેબ્રુઆરી 1969 મા મુંબઈમાં થયો હતો. ભાગ્યશ્રી નો જન્મ મહારાષ્ટ્રમાં સાંગલી ના રોયલ કુટુંબમાં થયો હતો. અભિનેત્રી ભાગ્ય શ્રી નું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યરાજ પટવર્ધન છે. આ પછી તેઓ નું ધ્યાન એક્ટિંગ તરફ જવા લાગ્યુ હતુ.
તેઓએ ૧૯૮૫માં ટીવી સીરીયલ “કચ્છી ધુપ”થી શરૂઆત કરી હતી. પરંતુ તેમને દુનિયામાં પ્રખ્યાતી ૧૯૮૯ માં રિલીઝ થયેલી તેમની ફિલ્મમાં મેને પ્યાર કિયા થી મળી હતી. આ ફિલ્મ થી તે આભ ને અડી લેતી આ અભિનેત્રીએ જલ્દીથી પોતાના બાળપણના દોસ્ત હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. આજે તેઓની ફેમિલી વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આજે અમે તમને ભાગ્યશ્રીના અંગત જીવન અને તેની સાથે જોડાયેલા લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં બે બાળકો છે તેઓ ના પુત્ર નું નામ અભિમન્યુ છે, જેમનો જન્મ ૧૯૯૦માં થયો હતો અને તેના પાંચ વર્ષ પછી ભાગ્યશ્રી 1995માં પુત્રી અવંતિકા ને જન્મ આપ્યો હતો. ભાગ્યશ્રી ની 25 વર્ષની પુત્રી નું નામ અવંતિકા છે, તેમજ ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે.
તેમની પુત્રી અવંતિકા સોશિયલ સાઇટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેઓ ના કુલ ૨૮ હજારથી વધારે પણ ફોલો કરે છે. જો તેની પુત્રી ના ભણતર વિશે વાત કરીએ તો અવંતિકા એ લન્ડન ના કેશ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અવંતિકાએ અહીં થી બિઝનેસ અને માર્કેટિંગની ડિગ્રી મેળવેલી છે.
અભિનેત્રી ભાગ્યશ્રી થોડા મહિના પહેલાં પોતાની દીકરી અવંતિકા સાથે એક લગ્ન સમારોહમાં સામેલ થઈ હતી. આ લગ્નમાં બેવ મા દીકરી ટ્રેડિશનલ મા જોવા મળી હતી. તેમની પુત્રી અવંતિકા ને ડાન્સ, ફેશન, ટ્રાવેલિંગ અને મિત્રો સાથે પાર્ટી એન્જોય કરવાનું ખુબ જ ગમે છે.
અવંતિકા એ થોડા વર્ષો પહેલા મશહૂર મ્યુઝીક ડાયરેક્ટર અનુ માલિકના ભત્રીજા અને સિંગર અરમાન મલિક ની ડેટ કરતી હતી. જો વાત કરવામાં આવે તો તેના પુત્ર અભિમન્યુ દસાની એ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા થી બોલિવુડ મા ડેબ્યુ કર્યુ હતુ.
આ ફિલ્મમાં અભિમન્યુ સાથે રાધિકા મદન, ગુલશન દેવૈયા અને મહેશ માંજરેકર જેવા કલાકારોએ કામ કર્યું હતું. હવે હાલ માં અભિમન્યુ એક બીજી ફિલ્મ નિકમ્મા માં જોવા મળશે.અભિને ત્રી ભાગ્યશ્રી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓએ પોતાના કરીયર ની જગ્યાએ પરિવારને કેમ પસંદ કર્યો હતો.
ભાગ્યશ્રી એ જણાવ્યું હતું કે ફિલ્મ મેને પ્યાર કિયા ની સફળતા પછી અને લગ્ન પછી તેઓને એક માં ના રૂપમાં ખુબ જ મોટી જવાબદારીઓ હતી. એક બાજુ પરિવાર હતો તો બીજી બાજુ કરિયર હતુ, ભાગ્યશ્રી પોતાના પતિ સાથે મળીને મીડિયા કંપની સૃષ્ટિ એન્ટરટેઇન્મેન્ટ ચલાવે છે, અભિનેત્રી છેલ્લી વાર 2014 – 15 માં ટીવી શો લોટ આઓ તૃષામાં જોવા મળી હતી.