ભગવાન શિવજીએ આ સ્થાન પર પીધું હતું સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર, જેના કારણે ઓળખાય છે નીલકંઠ તરીકે …

ધાર્મિક

ધાર્મિક માન્યતા અનુસાર જો ભગવાન શિવની મન અને શ્રધ્ધાથી પૂજા કરવામાં આવે તો તે ભક્તોના જીવનને સફળ બનાવે છે અને જીવનની તમામ વેદનાઓને દૂર કરે છે, જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરે છે, તો તેની દરેક અધુરી ઇચ્છાઓ જલ્દી પૂરી થઇ જાય છે.

આજે અમે તમને ભગવાન શિવજી અને સમુદ્ર મંથન માંથી નીકળેલા ઝેર સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મહાદેવે સંસારનું રક્ષણ માટે સમુદ્ર મંથન માંથી નીકળેલુ હળાહળ ઝેર પીધું હતું. તો ચાલો જાણી લઈએ એ સ્થાન વિશે..

ઋષિકેશની પાસે મણીકૂટ પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર સ્થિત છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર શિવ એ આ જ સ્થાન પર પી ગયા હતા. ઝેર પીધા પછી એનું ગળું લીલુ થઇ ગયું,

એટલે તેથી તેઓ નીલકંઠ કહેવાયા. ઋષિકેશ ને હિમાલયનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. નીલકંઠ મહાદેવ ઉત્તર ભારતના મુખ્ય શિવમંદિરો માંથી એક છે. માન્યતા અનુસાર ભગવાન શિવ એ જયારે ઝેર લીધું હતું ત્યારે એ જ સમયે પાર્વતી એ એનું ગળું દબાવ્યું,

કેમ કે ઝેર એના પેટ સુધી પહોંચી ના શકે. આ કારણે ઝેર એના ગળા માં અટકી ગયું. ઝેર પીધા પછી ઝેરના પ્રભાવથી એનું ગળું લીલુ થઇ ગયું હતું. ગળું લીલુ થવાના કારણે જ ભગવાન શિવને નીલકંઠ નામથી બોલાવવામાં આવ્યા.

મંદિરની પાસે પાણીનું ઝરણું પણ છે, જ્યાં શ્રદ્ધાળુ મંદિરના દર્શન પહેલા સ્નાન કરે છે. નીલકંઠ મહાદેવ મંદિર ની નક્કાશી જોવાથી જ બને છે. મંદિર શિખરના તળ પર સમુદ્ર મંથનના દ્રશ્યને ચિત્રિત કર્યું છે.

મંદિરના ગર્ભ ગૃહના પ્રવેશ દ્વાર પર એક વિશાળ પેન્ટિંગ માં ભગવાન શિવને ઝેર પીતા હોય તેવા પણ બતાવવામાં આવ્યા છે. ઋષિકેશ થી સ્વાર્ગાશ્રમ, લક્ષ્મણ ઝૂલા, નીલકંઠ રોડ, મોંની બાબાની ગુફાથી થઇને તમે નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી શકો છો.

જો તમે તમારા વાહન સાથે જવા માંગતા હોય તો ઋષિકેશ બેરાજ- લક્ષ્મણ ઝૂલા માર્ગથી સીધા નીલકંઠ ધામ જઈ શકો છો. અથવા પછી બદરીનાથ માર્ગ પર બ્રહમપુરી થઈને નીલકંઠ માર્ગ પકડી શકો છો.