શાસ્ત્રો અનુસાર, ભગવાનની પ્રદક્ષિણા દરમિયાન યોગ્ય દિશાનું રાખવું ખાસ ધ્યાન, જાણો દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની સંખ્યા વિશે..

ધાર્મિક

ભગવાનની પ્રદક્ષિણાનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. પ્રદક્ષિણાએ પૂજાનો જ એક ભાગ હોય છે. ભગવાનની મૂર્તિ સિવાય ઘણા લોકો મંદિર અને પવિત્ર વૃક્ષોની પણ પ્રદક્ષિણા કરે છે. શાસ્ત્રોમાં પ્રદક્ષિણાને લગતા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, અને શાસ્ત્રો અનુસાર દરેક દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની સંખ્યા અલગ અલગ હોય છે.

મંદિરમાં ભગવાનની મૂર્તિ ચારેય તરફ હકારાત્મક ઊર્જાથી ઘેરાયેલ હોય છે. અહી મંત્રોનું ઉચ્ચારણ, શંખ, ઘંટ વગેરે અવાજોથી હકારાત્મક ઊર્જા પેદા થયેલી હોય છે. આપણે ભગવાનની મૂર્તિની પરિક્રમા એટલા માટે કરીએ છીએ કે, આપણે પણ થોડીવાર માટે આ હકારાત્મક ઊર્જાની વચ્ચે રહીએ અને અહીં આ હકારાત્મક ઊર્જા આપણી ઉપર અસર પાડે.

શાસ્ત્રો મુજબ જુદા જુદા દેવી-દેવતાઓની પરિક્રમાની સંખ્યા જુદી જુદી હોય છે. અહી જાણો કયા દેવી-દેવતાની કેટલી પરિક્રમા કરવી જોઈએ.

  1. હનુમાનજીની 3 પરિક્રમા કરવી જોઈએ.
  2. શિવલિંગની અડધી પરિક્રમા કરવી જોઈએ
  3. દેવી માની ત્રણ પરિક્રમા કરવી જોઈએ
  4. શ્રીકૃષ્ણની ચાર પરિક્રમા કરવી જોઈએ.
  5. વિષ્ણુજીની ચાર પરિક્રમા કરવી જોઈએ.
  6. શ્રીરામની ચાર પરિક્રમા કરવી જોઈએ.
  7. ગણેશજીની 3 પરિક્રમા કરવી જોઈએ.
  8. ભૈરવ મહારાજની 3 પરિક્રમા કરવી જોઈએ.

પ્રદક્ષિણા કરો ત્યારે દિશાનું રાખો ખાસ ધ્યાન : જયારે પણ પ્રદક્ષિણા કરો ત્યારે દિશાનું ધ્યાન રાખો અને ખોટી દિશામાં પ્રદક્ષિણા શરૂ ના કરો. આમ કરવાથી પ્રદક્ષિણા કરવાનું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર પ્રદક્ષિણા ફરતા સમયે તમારી દિશા સાચી હોવી જોઈએ. જમણા એટલે કે સીધા હાથ તરફથી પ્રદક્ષિણા શરૂ કરવામાં આવે છે. જમણાનો અર્થ દક્ષિણ થાય છે, આ કારણ કે પરિક્રમાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. જો મૂર્તિની પ્રદક્ષિણા ફરવા માટે કોઈ સ્થાન ન હોય તો, તે એક જ જગ્યા પર ગોળ ફરીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે.

તમે વિચારી રહ્યા હશો કે પ્રદક્ષિણા ફરવાથી શું લાભ મળે છે. તો જણાવી દઈએ કે, હકીકતમાં જયારે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ, ત્યારે આપણું શરીર સકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે, અને મનને શાંતિ મળે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.

મંત્રનો જાપ: પ્રદક્ષિણા શરૂ કરતા પહેલાં તમારે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી જ પોતાની પ્રદક્ષિણા શરૂ કરો. તેમજ પ્રદક્ષિણા ફરતા સમયે નીચે જણાવેલા મંત્રનો જાપ જરૂર કરો. આ મંત્રનો જાપ કરવાથી પરિક્રમા સફળ થઈ જાય છે.

મંત્ર: યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ, તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે.

મંત્રનો અર્થ: જાણે અજાણે કરવામાં આવેલા અને પૂર્વજન્મના પણ બધા પાપ પ્રદક્ષિણાની સાથે સાથે નષ્ટ થઈ જાય. ભગવાન મને સદ્દબુદ્ધિ આપો.