આ દિવસોમાં ટીવી સીરિયલ અનુપમામાં જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે.એક તરફ માયા દરેકની આંખોમાં ધૂળ નાખીને અનુપમાનું સ્થાન લેવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ અનુજ ખૂબ જ પરેશાન છે.અનુપમાના વર્તમાન ટ્રેકમાં બતાવવામાં આવ્યું છે કે માયા અને અનુજ નાની અનુને ખુશ કરવા પિકનિક પર ગયા છે.માયાને તક મળતા જ અનુજને ઈમ્પ્રેસ કરવા માટે તમામ પ્રયાસો કરે છે.
ઉપરાંત, તેણી અનુજ ને વિનંતી કરે છે કે તેણીને કાપડિયાના ઘરે વધુ એક મહિનો રહેવા દે. અનુજ પણ તેની સાથે સંમત થાય છે અને અહીં શાહ હાઉસમાં અનુપમાની બેચેની વધી રહી છે. દરમિયાન માયા નું પાત્ર ભજવતી અભિનેત્રી છવિ પાંડેએ વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર બેક ટુ બેક શેર કરી છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ ઘણા કન્ફ્યુઝ થઈ ગયા છે.
View this post on Instagram
અનુપમા અભિનેત્રી છવિ પાંડેએ પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં લાગે છે કે તે મી-ટાઇમ વિતાવી રહી છે. આ તસવીરો જોયા બાદ કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે છવિએ રાતોરાત સીરિયલ અનુપમાને અલવિદા કહી દીધું છે. છવી પાંડેની આ તસવીરો પર અનુપમા અને રૂપાલી ગાંગુલીના ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તમે જતા રહો તો સારું.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘જો તે દૂર થઈ જશે, તો અનુપમાની ટીઆરપી વધુ વધી જશે. ‘
View this post on Instagram
આમ જોવા જઈએ તો છવિની અનુપમા છોડવાની બાબતમાં કોઈ સચ્ચાઈ નથી. આગામી દિવસોમાં મેકર્સ છવી પાંડેના પાત્ર માયા પર વધુ ફોકસ કરવાના છે. ધીમે ધીમે અનુજના જીવનમાં માયા એક મહત્વપૂર્ણ સ્થાન બની જશે. અનુપમા ઇચ્છે તો પણ કંઇ કરી શકશે નહીં કારણ કે તે શાહ અને કાપડિયા હાઉસ વચ્ચે ઝૂલતી રહેશે. અત્યારે જોવાનું એ છે કે આ સિરિયલમાં મેકર્સ બીજા કયા ટ્વિસ્ટ લાવવાના છે?