ટીવી સીરિયલ યે રિશ્તા કહલાતા હૈમાં આ દિવસોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે.પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપડા સ્ટાર અભિનિત આ સિરિયમાં છ વર્ષનો લિપ જોવા મળ્યો છે, પરંતુ હવે અક્ષરા આ સિરિયલમાં છ વર્ષ બાદ સમગ્ર પરિવારની સામે આવી છે.
અક્ષરા છ વર્ષ પછી તેના પરિવારને મળવા આવી છે, જેના કારણે દરેક લોકો ખૂબ જ ખુશ છે. અભિનવ અને અબીર પણ બધાને મળીને ખુશ છે.પરંતુ અક્ષુ આવતાની સાથે જ બિરલા હાઉસમાં હલચલ મચી જાય છે.ત્યાં પણ બધાને ખબર પડી ગઈ છે કે અક્ષરા તેના ઘરે પાછી આવી ગઈ છે. છેલ્લા એપિસોડમાં, અક્ષુનું ગોએન્કા હાઉસે શાહી સ્વાગત થાય છે.ચાલો તમને જણાવીએ કે આવનારા એપિસોડમાં શું જોવા મળશે.
અબીરના રંગમાં રંગાશે બડ઼ે પાપા
યે રિશ્તા ક્યા કહેલાતા હૈના આગામી એપિસોડમાં, અક્ષરાને ઘરને જોઈને અભિનવ અને અબીરની આંખોમાં આંસુ આવી જાય છે. બંને બધા સાથે ખુલીને વાત કરી શકતા નથી. બીજી તરફ, જ્યારે બધા ડિનર ટેબલ પર જમવા બેસે છે, ત્યારે અભિનવ ત્યાંના વિવિધ પ્રકારના ફૂડ જોઈને થોડો નર્વસ થઈ જાય છે.અબીરને બધું નોર્મલ લાગે તે માટે, બડે પાપા તેની સાથે મસ્તી કરવા લાગે છે.અબીર જે રીતે વાત કરે છે તેવી જ રીતે તે વાત કરે છે. આ જોઈને બધા ખુશ થઈ જાય છે.
કાયરવની ગેરહાજરીમાં પ્રશ્ન ઉભા થશે
સ્ટોરીમાં આગળ જોવામાં આવશે કે આ બધું જોઈને અભિનવ પોતાની જાતને સંભાળી શકતો નથી અને પછી તે ડિનર ટેબલ પરથી ઊભો થઈને બહાર જાય છે, અહીં તે પોતાની જાતને શાંત કરવાનો પ્રયાસ કરે છે. દરમિયાન, બડે પાપા ત્યાં પહોંચી જાય છે અને અભિનવ સાથે વાત કરે છે.અને તે અભિનવને પણ ગળે લગાવે છે. બંનેને આ રીતે વાત કરતા જોઈને અક્ષરા પણ ઘણી ખુશ થઇ જાય છે. આ પછી બધા બેસીને વાતો કરે છે, પછી અચાનક અબીર કહે છે કે ઘરમાં કાયરવ મામા કેમ નથી. આ કારણે બધા મૌન થઈ જાય છે. બીજી તરફ, અક્ષરા પણ નિરાશ થઈ જાય છે.
બિરલા હાઉસમાં હલચલ મચી જશે.
એકબાજુ ગોએન્કા હાઉસે બધુ બરાબર ચાલે છે પણ બિરલા ઘરમાં હંગામો મચી ગયો છે. જેમ જ બધાને ખબર પડી કે અક્ષરા આવી ગઈ છે, બધા તેના વિશે વિચારી રહ્યા છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે બિરલા હાઉસમાં બધા લોકો ડિનર ટેબલ પર ભોજન કરી રહ્યા છે, પછી અભિમન્યુ પોતાને નોર્મલ બતાવવાનોં ટ્રાય કરે છે.આ દરમિયાન, મંજરી તેને નોર્મલ રેહવાની કોશિશ ન કરવા કહે છે. બીજી તરફ, આરોહી પણ કહે છે કે તે મીમીની બર્થડે પાર્ટીનું આયોજન નહીં કરે.પરંતુ અભિમન્યુ આ માટે સંમત નથી.આ કારણે મંજરી ત્યાંથી નીકળી જાય છે. જો કે, આગળ સ્ટોરીમાં એ પણ જોવા મળશે કે મંજરી બધાની વચ્ચે એ જાહેર કરશે કે બિરલા હાઉસ માંથી કોઈ પણ મીમીના જન્મદિવસની પાર્ટીમાં નહીં જાય. આ એક નિર્ણયથી અભિમન્યુ અને આરોહી ચોંકી જાય છે.