મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચીલ ની ભાજી વિશે. તે ખેતરમા ઘઉં સાથે ઉગે છે પરંતુ, તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ભાજીમા પુષ્કળ માત્રામા વિટામીન-એ , પોટેશીયમ , આયરન , કેલ્શિયમ , ફોસ્ફરસ , કર્બોહાઈડ્રેટ , ફાઈબર , વિટામીન-સી વગેરે જેવા અઢળક ગુણો રહેલા છે. માટે આ ભાજીનું સેવન કરવામાં આવે તો અનેકવિધ સમસ્યાઓથી તમને મુક્તિ મળે છે. ફક્ત એટલુ જ નહિ પરંતુ, તેનુ સેવન પથરી જેવી જટિલ સમસ્યાઓ ને પણ નષ્ટ કરી દે છે. તો ચાલો જાણીએ તેના લાભો વિશે.
આ ભાજી કાચી ચાવવામાં આવે તો તેનાથી મોઢા ની દુર્ગંધ દુર થાય છે. આ ઉપરાંત ચાંદાની સમસ્યા , પાયરિયા વગેરે જેવી દાંતની સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ભાજીમાં રહેલા ઔષધિય ગુણો તમારા મોઢા માં રહેલા બધા હાનિકારક તત્વો સામે લડવા માટે સક્ષમ છે.
આ ભાજીમા પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ છે, જેના કારણે કબજિયાતની સમાસ્યામા રાહત મળે છે. આ સિવાય એસીડીટી અને ગેસ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જો તમને ભૂખ ઓછી લાગે છે, ભોજન પચવામાં વધારે સમય લાગે છે અથવા તો તીખા ઓડકાર આવે છે તેમજ પેટ ફૂલવા જેવી સમસ્યાથી પીડિત છો તો નિયમિત અમુક અઠવાડિયા સુધી આ ભાજીનુ સેવન કરવું જોઈએ. જો તમે વહેલી સવારે આ ભાજીનુ સેવન કરો તો તમને બવાસીર ની સમસ્યામા તુરંત રાહત મળે છે.
આ ભાજી નુ સેવન કિડનીમાં થતી પથરીને દુર કરે છે. તેના માટે ચીલના રસમાં ખાંડ મિક્સ કરી તેનું નિયમિત સેવન કરવું. આ રીતે સેવન કરવાથી ધીમે ધીમે પથરી તૂટીને નીકળી જશે. આ પથરીના રોગમાં ખૂબ અકસીર દવા છે. પણ જો પથરીનો વધુ દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.
આ ભાજીમાં વાધારે માત્રામાં આયરન રહેલું છે.જો તેનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો લોહીની ઉણપ દુર થાય છે.આ ઉપરાંત આ ભાજીને લીમડાના પાન સાથે મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો તમારું લોહી શુદ્ધ બનશે.જેના કારણે લોહીની કમી પણ નહિ રહે.
જો તમે આ ભાજી ઉકાળી તેનું સેવન કરો અથવા તો તેનુ શાક બનાવીને તેનું સેવન કરવાથી ચામડીના રોગો દુર થાય છે. જેમ કે સફેદ ડાઘ, ખંજવાળ, ગુમડા,કુષ્ટ રોગ વેગેરે જેવા ચર્મ રોગોથી છુટકારો મળે છે.
કહેવત એવી છે કે, જરૂરીયાત કરતા વધારે કોઇપણ વસ્તુ એ અમૃત ઝેર સમાન ગણાય છે.માટે તેનું યોગ્ય માત્રમાં સેવન કરવું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાઓ એ આ ભાજી નુ સેવન ના કરવુ જોઈએ કારણકે, તેનુ સેવન કરવાથી ગર્ભપાત પણ થઇ શકે છે તેમજ આ ભાજીનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંત ની સલાહ જરૂર લો.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment