આ શક્તિપીઠ મંદિર છે ૨૦૦૦ વર્ષ જુનું, જ્યાં હિંદુ અને મુસ્લિમ બંને સાથે કરે છે પૂજા…

ધાર્મિક

ગુજરાતમાં ઘણા મંદિરો આવેલા છે. એમાં પણ અમુક મંદિરો ખુબ જ પ્રાચીન હોય છે અને જેનો મહિમા પણ ખુબ જ કહેવામાં આવે છે. અમુક મંદિરો પણ એવા છે કે જ્યાં ખુબ જ ચમત્કાર જોવા મળે છે અને ત્યાં લાખો ભક્તો દર્શન કરવા જતા હોય છે.

મંદિરો માટે હિંદુઓને ખુબ જ શ્રદ્ધા હોય છે. આપણા ભગવાન ના દર્શન કરવા વાળા લોકો કોઈ પણ કઠીન રસ્તો હોય પાર કરી જાય છે. આજે આપણે જે શક્તિ પીઠની વાત કરી રહ્યા છીએ તે ભારત માં નહિ, પરંતુ પાકિસ્તાનમાં આવેલું છે.

કરાચીમાં વસેલું આ મંદિરની માન્યતા ખુબ જ છે. એવું કહેવામાં આવે છે કે આ હિંગળાજ દેવીના નામથી પ્રસિદ્ધ આ શક્તિ પીઠ 2000 વર્ષ જુનું છે. -આ શક્તિ પીઠમાં સતી માતાના રૂપમા માં ના દર્શન કરવામાં આવે છે.

કરાચીથી ૬૦ કિમી દુર આવેલ આ સ્થાનને નાની નું મંદિર અથવા નાની નું હજ પણ કહેવામાં આવે છે. -અહિયાં મોટા મોટા આધ્યાત્મિક ગુરુ પણ દર્શન કરવા માટે આવી ચુક્યા છે.

એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ પણ રાવણના મૃત્યુ પછી અહિયાં યજ્ઞ કરવા માટે આવ્યા હતા. -અહિયાં હિંદુ અને મુસ્લિમ બંને પૂજા કરે છે. -દર વર્ષે અહિયાં લાખો શ્રદ્ધાળુ પૂજા કરવા માટે આવે છે.

મંદિર ની બનાવટ :- હિંગળા નદી ના કિનારે વસેલું આ મંદિર વૈષ્ણવ દેવીના મંદિર જેવું છે. અહિયાં માં ના દર્શન ગુફા માં કરવામાં આવે છે. પહેલા નદીમાં સ્નાન કર્યા પછી લોકો અહિયાં દર્શન માટે અહિયાં પહોંચે છે.

અહી આ મંદિરમાં પહેલા ગણેશજીને અને પછી હિંગળાજ દેવી ના મંદિર ના દર્શન થાય છે. અહીં બ્રહ્મ કુંડ અને તીરકુંડ નામના બે કુંડ પણ છે. અહી માં ની પૂજા સતી રૂપમાં કરવામાં આવે છે.

મંદિર નો રસ્તો :– આ મંદિર નો રસ્તો ખુબ કઠીન છે, આ કાચા રસ્તા પર ઘણા નાળા અને કુવા આવે છે, પગ થી ચાલવા વાળા આ માર્ગ પર કોઈ રસ્તો નથી. હજુ પણ દર વર્ષે લોકો મોટી સંખ્યા માં અહી માથા ટેકવા માટે પહોચે છે.